Charotar Sandesh
બોલિવૂડ

મારા પતિ મને બીજા પુરુષ સાથે રોમાન્સ કરતા જોઇ શકતા ન હતા : ભાગ્યશ્રી

મુંબઇ : ભાગ્યશ્રીએ સલમાન ખાન સાથે ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ માં ડેબ્યૂ કર્યું હતું અને આ જોડી લોકોને ખૂબ પસંદ આવી હતી. પરંતુ ભાગ્યશ્રીએ આ ફિલ્મ પછી જ લગ્ન કર્યા અને ફિલ્મોને અલવિદા કહ્યું. પરંતુ હાલ ભાગ્યશ્રીનું એક જૂનુ ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેમાં તેણે કહ્યું છે કે તેણે કેમ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું.

ભાગ્યશ્રીએ તેના ૨૦૧૭ ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘મારા પતિ મારા વિશે ખૂબ જ પજેસિવ છે અને તે મને કોઈ બીજા પુરુષ સાથે પડદા પર રોમાન્સ કરતા જોઈ શકતા ન હતા. પરંતુ મારા સાસરી પક્ષના લોકોને તેનાથી કોઇ સમસ્યા ન હતી. એટલું જ નહીં, ભાગ્યશ્રી અને હિમાલય સંબંધ સલમાન ખાનને સૌ પ્રથમ જાણવા મળ્યું હતું. સલમાન ખાનને આ વાતની ખબર ‘મૈને પ્યાર કિયા’ ના ‘દિલ દિવાના’ સોન્ગ વખતે ખબર પડી હતી.

તમને જણાવી દઈએ કે ‘મૈને પ્યાર કિયા’ એક આઇકોનિક ફિલ્મ છે, આ ફિલ્મથી ભાગ્યશ્રી અને સલમાન ખાને હીરો-હિરોઇન તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મનું દિગ્દર્શન સૂરજ બરજાત્યાએ કર્યું હતું, અને પ્રેમ-સુમનના પાત્રો સિનેમા પ્રેમીઓના મગજમાં હજી તાજી છે.

Related posts

રાજકુમાર રાવ અને પ્રિયંકા ચોપરાએ ‘ધ વ્હાઇટ ટાઇગર’ની તૈયારી શરૂ કરી…

Charotar Sandesh

મને નેતાઓની ફેશન સેન્સ પસંદ નથીઃ કંગના રનૌત

Charotar Sandesh

ઉદ્ધવની ડ્રગ કોમેન્ટ પર ભડકી કંગના, કહ્યું – ગંદી રાજનીતિ કરી રહ્યા છો, શરમ આવવી જોઇએ…

Charotar Sandesh