Charotar Sandesh
ગુજરાત

મે મહિનામાં લોકડાઉન થોડી ઢીલ સાથે યથાવત રહેવાની શક્યતા…

રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્ર સરકારોના અધિકારીઓ પણ માને છે કે કોવિડ -૧૯ સામેની લડાઈ લાંબી રહેશે…

અમદાવાદ : ૨૪ માર્ચથી ચાલી રહેલા લોકડાઉનને કારણે દેશની જનતાને મોટા પ્રમાણમાં ચેપ લાગવાથી બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ હમણાં લોકડાઉનમાંથી મુક્તિ મળવાના કોઈ સંકેતો નથી. વિદેશ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય, ગૃહ મંત્રાલયના અધિકારીઓ હમણાં જ આ વિશે કંઈ કહેવાની સ્થિતિમાં નથી.રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્ર સરકારોના અધિકારીઓ પણ માને છે કે કોવિડ -૧૯ સામેની લડાઈ લાંબી રહેશે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિષ્ણાતોને ટાંકીને આશંકા વ્યક્ત કરી હતી. રામ મનોહર લોહિયા હોસ્પિટલના સિનિયર ડોકટરે કેપ્ટન અમરિંદર સિંહની ધારણાને લગભગ યોગ્ય ગણાવી છે.

જયપુર હેલ્થ ડિરેક્ટોરેટના એક સ્ત્રોત કહે છે કે અમને કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલી ઝડપી પરીક્ષણ કીટમાં ખૂબ વિશ્વાસ હતો. તેને ચીનમાંથી ભારત સરકારે મંગાવી હતી. પરંતુ કીટનાં ખોટા પરિણામોએ એકવાર ફરી મુંઝવણમાં મુક્યા હતા. હવે સ્થિતિ એવી છે કે જ્યાં સુધી ૈંઝ્રસ્ઇ પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી કોવિડ -૧૯ ની સ્ક્રીનિંગ પ્રક્રિયા બંધ રહેશે. તેની તપાસમાં સંસાધનોની કમી સતત આડે આવી રહી છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, તામિલનાડુ, રાજસ્થાનમાં કેસ સતત વધી રહ્યા છે.આ આંકડા મંગળવારના છે, પરંતુ દિલ્હીના ડોકટરો કહે છે કે હવે આ સંખ્યા ૨૦ હજારની ઉપર જઈ રહી છે. કોવિડ -૧૯ પર નજર રાખતી કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આ સમયે ૨૧ હજારથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. ચેપથી મૃત્યુઆંક ૬૫૨ ને વટાવી ગયો છે.

લખનઉના કોવિડ -૧૯ સેલના એસજીપીજીઆઈ (સંજય ગાંધી) ના ડોકટરનો અંદાજ છે કે મે મહિનામાં લોકડાઉન થોડી ઢીલ સાથે ચાલુ રહેશે. આવી જ માહિતી મહારાષ્ટ્ર સરકાર પાસેથી મળી રહી છે. કોવિડ -૧૯ ચેપ ભોપાલ અને ઈન્દોરમાં ફેલાઈ રહ્યો છે.ઈન્દોરની પરિસ્થિતિ સતત ગંભીર બની રહી છે. આ અંગે ભોપાલના ડીએમ તરૂણકુમાર પાઠોડ કહે છે કે તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ અને મધ્યપ્રદેશના અહેવાલો અનુસાર ૩ મે પછી પણ લોકડાઉન વધશે. કેન્દ્ર સરકારે કોવિડ -૧૯ સંબંધિત દૈનિક પ્રેસ કોન્ફરન્સ મુલતવી રાખી હતી. આઇસીએમઆરના ડો.રમન ગંગાખેડકર, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ, ડિરેક્ટર રવિન્દ્રન, આઇસીએમઆરના વડા ડો. બલરામ ભાર્ગવ હાલમાં આ મુદ્દે ચૂપ છે.

Related posts

અમદાવાદ માટે રાહતના સમાચારઃ ૧૫ દિવસમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ ૧૪૦ ટકા વધ્યો…

Charotar Sandesh

ક્યાં છે દારૂબંધી..? છેલ્લા બે વર્ષમાં રાજ્યમાંથી ૨૫૨ કરોડનો દારૂ ઝડપાયો…!

Charotar Sandesh

કોરોના રસી માટે ૧૫૦૦૦ હેલ્થ વર્કર્સની યાદી બનાવવાનું કામ કરાયું શરૂ…

Charotar Sandesh