Charotar Sandesh
વર્લ્ડ

યુએઇએ ભારતની હિંમત વધારી, ત્રિરંગાના રંગે રંગાયુ બુર્જ ખલીફા…

આબુધાબી : ભારતમાં કોરોના વાયરસ મહામારીથી પરિસ્થિતિ વિકરાળ બની છે તેની વચ્ચે દુનિયાભરના કેટલાંય દેશો મદદ માટે આગળ આવી રહ્યા છે. આ બધાની વચ્ચે ેંછઈએ ભારતના પ્રત્યે એકજૂથતા દેખાડવા માટે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગમાંથી એક બુર્જ ખલીફાને તિરંગાના રંગે રંગી દેવાયું. એટલું જ નહીં યુએઇએ અબુધાબીની રાષ્ટ્રીય ઓઇલ કંપનીના ટાવરને પણ તિરંગામાં દેખાડયું. આ બંને બિલ્ડિંગ્સ પર હેશટેગની સાથે #StayStrongIndia નો મેસેજ પણ દેખાયો.
UAEની આ બિલ્ડિંગ્સ પર છેલ્લાં કેટલાંક વર્ષથી ભારતના સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ અને ગાંધી જયંતીના અવસર પર તિરંગાના રંગમાં પ્રદર્શિત કરાય છે. પરંતુ એવું પહેલી વખત બન્યું કે આ દેશે ભારતના પ્રત્યે પોતાનું સમર્થન આ રીતે વ્યકત કર્યું હોય.
ભારત અને UAEના સંબંધ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા મજબૂત થયા છે. પાકિસ્તાન જ્યારે જમ્મુ-કાશ્મીર પર ભારત દ્વારા લેવાયેલા નિર્ણયની વિરૂદ્ધ વૈશ્વિક સમુદાયને ભડકાવાની કોશિશમાં લાગી ગયું હતું તે સમયે પણ યુએઇ ભારતની સાથે ઉભેલું દેખાયું. UAEએ ૫ ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો હટાવાના નિર્ણયને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો.

Related posts

ચીનમાં કોરોના વાયરસથી ૮૧૧ લોકોના મોત : ૩૭ હજારથી વધુ લોકો ચપેટમાં…

Charotar Sandesh

પાક. સાથેના સબંધો મર્યાદિત, ભારત જ અમારું વિશ્વાસુ સાથીદાર : રશિયા

Charotar Sandesh

કોરોનાની રસીનું કામ કરતા રશિયન વિજ્ઞાનીનું રહસ્યમય મોત…

Charotar Sandesh