Charotar Sandesh
સ્પોર્ટ્સ

યુએઈમાં IPL-૧૩ પર ફિક્સિંગનું સંકટ, બીસીસીઆઈએ પણ કરી પુષ્ટિ

ન્યુ દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આ વર્ષે યુનાઇટેડ આરબ અમિરાતમાં થઈ રહ્યું છે. કોરોના વાયરસની બીમારીને કારણે ભારતને બદલે અમિરાતમાં મેચો રમાઈ રહી છે અને તે પણ અત્યંત સુરિક્ષત વાતાવરણમાં બાયો બબલ વચ્ચે મેચો રમાઈ રહી છે પરંતુ મેચ ફિક્સિંગનું જોખમ તો રહેલું જ છે. આ અંગે ખુદ બીસીસીઆઈએ પણ પૃષ્ટિ કરી છે. એમ મનાય છે કે એક બહારની વ્યક્તિએ હાલમાં આઈપીએલમાં રમી રહેલા એક ખેલાડીનો ફિક્સિંગ માટે સંપર્ક કર્યો હતો.
આ ખેલાડી તથા તેની ટીમના નામ બોર્ડની પ્રક્રિયા મુજબ ગુપ્ત રાખવામાં આવ્યા છે.આ બનાવ અંગે ભારતીય ક્રિકેટ બોર્ડના એન્ટિ કરપ્શન યુનિટે સમર્થન આપ્યું છે. એસીયુના અધિકારી અજિત સિંઘે જણાવ્યુ હતું કે આઇપીએલમાં એક અજાણી વ્યક્તિએ એક ખેલાડીનો સંપર્ક કર્યો હતો. આ એજન્ટ કોણ હતો તે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આઇપીએલ દરમિયાન આ રમતને વધારે પારદર્શક બનાવવા માટે એસીયુ દ્વારા તમામ ખેલાડીઓને ઓનલાઇન માહિતી આપવામાં આવી રહી છે. આઇપીએલમાં રમી રહેલા તમામ ખેલાડીને પ્રોટોકોલ અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે.
આ વખતે આઇપીએલ બાયો સુરક્ષિત વાતાવરણમાં યોજાઈ છે અને તેથી કોઈ પણ વ્યક્તિ કોઈ ક્રિકેટરના સીધા સંપર્કમાં આવી શકતી નથી પરંતુ ઓનલાઇન પ્લેટફોર્મ દ્રારા ખેલાડીનો સંપર્ક કરી શકાય છે.બીસીસીઆઈએ સટ્ટાબાજી અને ફિક્સિંગ પર અંકુશ રાખવા માટે બ્રિટનની કંપની સ્પોર્ટસ રડાર સાથે કરાર કરેલો છે. આ કંપની તમામ પ્રવૃત્તિ પર નજર રાખી રહી છે.

Related posts

ધર્મને મહત્વ આપનાર ખેલાડીઓ મારી સાથે સ્ક્રીન પર આવવાનું ટાળતા હતાઃ ઝૈનબ અબ્બાસ

Charotar Sandesh

આઇપીએલની ૧૩મી સિઝનમાં રાજસ્થાન રૉયલ્સના ખેલાડી નવી જર્સી સાથે મેદાનમાં ઉતરશે…

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરની ક્રિકેટ ટીમ વડોદરામાં આવી પહોંચી, ૧૦ દિવસ પ્રૅક્ટિસ કરશે…

Charotar Sandesh