Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા : દીકરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપી માટે માતાએ કોર્ટમાં માગ્યા જામીન…

વડોદરા : શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાની ૧૬ વર્ષની દીકરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા આરોપી સાથે તેના લગ્ન કરાવવાનું નક્કી કર્યું છે. સાંભળવામાં આ થોડું અજુગતુ લાગશે પરંતુ મહિલાની દીકરી જ્યારે પોતાના ૨૦ વર્ષના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ તો આ જ મહિલાએ આરોપી વિરુદ્ધ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી ધર્મેન્દ્ર સોલંકીની જામીન અરજીની સુનાવણી પહેલા છોકરીની માતાએ સોગંધનામું જાહેર કરીને પોતાનો નિર્ણય સેશન કોર્ટમાં જણાવ્યો હતો. જોકે આ સોગંધનામું સોલંકીને કોઈ મદદ ન કરી શક્યું અને તેની જામીન અરજી કોર્ટે નકારી દીધી.

સોલંકી ગોત્રીમાં જ રહે છે અને તેના પર માર્ચમાં પોતાની સગીર ગર્લફ્રેન્ડ સાથે ભાગી ગયા બાદ કિડનેપિંગ, બળાત્કાર અને પોકસો એક્ટ હેઠળના ફરિયાદ દાખલ કરાઈ હતી. છોકરીની માતાએ જ ફરિયાદ કર્યા બાદ પોલીસે આરોપીની ૪ એપ્રિલ ધરપકડ કરી હતી. હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં રહેલા આરોપીએ ૧૬ જૂને જામીન અરજી કરી હતી. સોલંકીના એડવોકેટ જયેશ ઠક્કરે કહ્યું, અમે જામીન માટે અરજી કરી તે બાદ મારા ક્લાયન્ટની માતા અને પીડિત છોકરીની ફરિયાદી માતા એવી વાત પર સહમત થયા કે તેમની દીકરી સગીર વયની થયા બાદ બંનેના લગ્ન કરાવી દેવા. સુનાવણી દરમિયાન તપાસ અધિકારીએ સોલંકીના જામીનની વિરુદ્ધમાં સોગંધનામું સબમીટ કરીને કહ્યું કે તેણે ગંભીર ગુનો આચર્યો છે.

આ બાદ પીડિત છોકરીની માતાએ પણ વકીલ દ્વારા સોગંધનામું કોર્ટમાં જાહેર કર્યું અને જણાવ્યું કે તેણે પોતાની દીકરીના આરોપી સાથે લગ્ન કરાવવાનું નક્કી કર્યું છે. તેણે એમ પણ ઉલ્લેખ કર્યો કે બંને પક્ષ એવા સમાધાન પર પહોંચ્યા છે કે સોલંકી તેની દીકરીને હેરાન નહીં કરે. આ બાદ એડિશન સેશન્સ જજ જી.ડી પાસીએ નોંધ્યું કે, જો ફરિયાદી સોગંધનામું કરે તો તેનાથી આરોપીએ કરેલા ગુનો ઓછો થતો નથી. કોર્ટે જણાવ્યું કે, આ કેસમાં ચૂકાદો હજુ સુધી પેન્ડીંગ છે, એવામાં આરોપીને જામીન પર ન છોડી શકાય. જ્યારે એડવોકેટે આ નિર્ણયને હવે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું છે.

Related posts

વડોદરામાં ૩ મહિલા સહિત વધુ ૧૦ દર્દીના મોત, જીએસએફસી કંપનીમાં વધુ ૩ કર્મી સંક્રમિત…

Charotar Sandesh

વડોદરામાં મુખ્ય માર્ગ પર ૫ ફૂટનો ભૂવો પડતા તંત્રની પોલ ખુલી…

Charotar Sandesh

મુસળધાર વરસાદને પગલે કડાણા ડેમમાંથી 4 લાખથી વધુ ક્યુસેક પાણી છોડાયું, 106 ગામોને એલર્ટ કરાયા

Charotar Sandesh