Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વાજબી ભાવના દુકાનદારના વારસદારને રૂા. ૨૫ લાખનો સહાયનો ચેક અર્પણ કરતા જિલ્‍લા કલેકટર…

કોરોનાથી સંક્રમિત થતાં આંકલાવના વાજબી ભાવના દુકાનદારનું અવસાન થયું હતું…

આણંદ : સમગ્ર વિશ્વમાં વ્‍યાપેલી કોરોનાની મહામારી વચ્‍ચે આણંદ જિલ્‍લાના રેશનકાર્ડ ધારકોને નિયમિત રીતે અનાજનો જથ્‍થો મળી રહે તે માટે આણંદ જિલ્‍લામાં આવેલી ૬૭૪ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર વાજબી ભાવની દુકાનો દ્વારા એપ્રિલ અને મે માસના લોકડાઉનના સમયગાળામાં તથા ત્‍યારબાદના સમયગાળામાં રેશનકાર્ડ ધારકોને આવશ્‍યક ચીજવસ્‍તુઓના જથ્‍થાનું વિતરણ સમયસર કરવામાં આવ્‍યું હતું.

આ વિતરણ દરમિયાન આરોગ્‍ય વિભાગની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જાળવી માસ્‍ક અને સેનીટાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવ્‍યો હતો.

આ કોરોનાના કપરા કાળમાં કોરોના વોરિયર તરીકે આવશ્‍યક ચીજવસ્‍તુના વિતરણની કામગીરી કરતાં દુકાનદાર, તોલાટ, કોમ્‍પ્‍યુટર ઓપરેટર, સહાયકનું દુ:ખદ અવસાન થાય તો રાજય સરકાર દ્વારા તેઓના આશ્રિત કુટુંબને રૂા. ૨૫ લાખની આર્થિક સહાય આપવાનું જાહેર કરવામાં આવ્‍યું હતું.

રાજય સરકારની આ યોજના અંગેની વિગતો આપતાં જિલ્‍લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણિયાએ આંકલાવ તાલુકાના આંકલાવના વાજબી ભાવના દુકાનદાર ચંદુભાઇ ધોરીભાઇ પટેલનું કોરોનાના સંક્રમણના કારણે જુલાઇ માસમાં દુઃખદ અવસાન થયું હતું.  રાજય સરકારના ઠરાવ મુજબ આંકલાવના મામલતદાર શ્રી એસ. પી. વાળંદ દ્વારા સહાય અંગેની દરખસ્‍ત રજૂ કરવામાં આવી હતી. જે દરખાસ્‍ત રાજય સરકારમાંથી મંજૂર થઇ આવતાં ચંદુભાઇ ધોરીભાઇ પટેલના આશ્રિત પત્‍ની કુમુદબેન ચંદુભાઇ પટેલને રૂા. ૨૫ લાખની નાણાંકીય સહાય મંજૂર કરવામાં આવી હતી જે સહાયનો ચેક આજે કલેકટરાલય ખાતે જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલના હસ્‍તે અર્પણ કરવામાં આવ્‍યો હોવાનું કહ્યું હતું.

જિલ્‍લા કલેકટર શ્રી આર. જી. ગોહિલે આશ્રિત પત્‍ની કુમુદબેન ચંદુભાઇ પટેલને રાજય સરકારની સહાયનો ચેક અર્પણ કરતાં કહ્યું હતું કે, આ એક દુઃખદ બનાવ છે, પરંતુ મૃતકના આશ્રિત પરિવારજનોને રાજય સરકાર દ્વારા આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે.

શ્રી ગોહિલે વધુમાં કોરોનાની મહામારીમાં જરૂરિયાતમંદ રેશનકાર્ડ ધારકોને આવશ્‍યક ચીજવસ્‍તુના જથ્‍થાનું વિતરણ કરતાં કોરોના વોરિયર એવા વાજબી ભાવના દુકાનદાર, તોલાટ, કોમ્‍પ્‍યુટર ઓપરેટર, સહાયકને હિંમત મળી રહે તથા આવા દુઃખદ બનાવમાં આશ્રિતના પરિવારને રાજય સરકાર તરફથી આર્થિક મદદ પણ મળી રહે તેમ જણાવી આણંદ જિલ્‍લામાં કોરોનાની મહામારીમાં કોરોના વોરિયર તરીકે અવસાન પામેલ અને રાજય સરકાર તરફથી સહાય મેળવનાર આ પ્રથમ કિસ્‍સો છે.

જિલ્‍લા પુરવઠા અધિકારી શ્રી બામણિયાએ આણંદ જિલ્‍લામાં કોરોનાના સંક્રમણના કારણે ૦૪ (ચાર) દુકાનદારોના દુઃખદ અવસાન થયેલ છે જેની આર્થિક સહાય અંગેની દરખાસ્‍ત રાજય સરકારમાં મોકલી આપવામાં આવી છે જે પૈકી એક દુકાનદારની નાણાંકીય સહાયનો ચેક મળેલ છે જેની સહાય ચૂકવવામાં આવી છે જયારે અન્‍ય દરખાસ્‍તો મંજૂર થઇને આવ્‍યેથી સંબંધિત આશ્રિતોને નાણાંકીય સહાય ચૂકવવામાં આવશે તેમ જણાવ્‍યું છે.

Related posts

આણંદ જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસો : જુઓ આજે નવા કેટલા કેસો નોંધાયા, ૩૯ દર્દીઓ સાજા થયા

Charotar Sandesh

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા આણંદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની માંગ

Charotar Sandesh

કોરોનાને લઈ નાવલી ગામમાં યુવાઓ દ્વારા ચુસ્ત પહેરાબંધી : ૨૧ દિવસ ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ…

Charotar Sandesh