Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વાસદ-આસોદર રોડ પર સુંદણ પાટીયા નજીક બે કારચાલકો વચ્ચે અકસ્માત : એકનું કરૂણ મોત…

આણંદ : જિલ્લામાંથી પસાર થતાં તારાપુર-વાસદ હાઈવે ઉપર સુંદણ પાટીયા નજીક અલ્ટો તેમજ સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત થતાં અલ્ટો કારચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થવા પામેલ છે. આ અંગે આસોદર પોલીસને જાણ કરતાં તેઓએ ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી કાર્યવાહી કરેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાસદ-આસોદર રોડ ઉપર આવેલ સુંદણ પાટીયા નજીક અલ્ટો તેમજ સ્વીફ્ટ કાર એકબીજા સાથે ભટકાતાં વાસદથી આસોદર તરફ જતાં અલ્ટો કાર નં. જેજી૦૬ એફસી ૦૧૦૦ ના ચાલક વડોદરા જીલ્લાના નાની શેરખી ગામે રહેતા હિતેશભાઈ હર્ષદભાઈ પંડ્યાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજેલ છે, અકસ્માતની જાણ બોરસદ અને કીંખલોડની ૧૦૮ મોબાઈલ વાન તેમજ પોલીસને થતાં તેઓ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગયા હતા અને ઘવાયેલા તમામને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં કેટલાકની હાલત નાજુક હોય મૃત્યુઆંક વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે. જે બાદ આસોદર પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • આ ઘટનામાં વહીવટી તંત્રની બેદરકારીને કારણે વાહનચાલકોમાં અકસ્માત સર્જાતા રોષની લાગણી…

નોંધનીય છે કે, તારાપુર-વાસદ હાઈવે ઉપર સુંદણ પાટીયા નજીક રોડનું કામનું પૂર્ણ થઈ ગયા છતાંય રેલ્વે ફાટક નજીક ડાયવર્ઝન આપવામાં આવેલ છે, પરંતુ આગળ જતાં રોડ ઉપર કોઈ જ ડાયવર્ઝન તેમજ સેફ્ટી ચીહ્‌ન આપવામાં ન આવતાં અકસ્માત સર્જાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ જોતાં વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે, જેથી વાહનચાલકોમાં રોષની લાગણી પ્રવર્તી છે.

  • Jignesh Patel, Anand

Related posts

આજે વિજયાદશમી પર્વ નિમિત્તે પોલિસ હેડક્વોટર આણંદ ખાતે શસ્ત્રપુજન કરાયું…

Charotar Sandesh

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦૦૦થી વધુ શ્રમજીવીઓને ભોજન અપાયું…

Charotar Sandesh

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજને દરરોજ સવા લાખ તુલસીપત્ર અર્પણ કરાયા

Charotar Sandesh