Charotar Sandesh
ઈન્ડિયા

સતત બીજા દિવસે પણ રેકોર્ડબ્રેક ૫૦૦૦થી વધુ પોઝિટિવ કેસ : આંકડો ૧ લાખની નજીક…

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧ લાખની નજીક પહોંચવાની તૈયારીમાં…

વધુ ૧૫૭ના મોત સાથે મૃત્યુઆંક ૩૦૩૯એ પહોંચ્યો : રાષ્ટ્રપતિ ભવનમાં તહેનાત એક એસીપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, અનંતનાગમાં ૧૯ પોલીસકર્મી અને ઓપ્પો મોબાઇલ કંપનીમાં કામ કરતા ૬ કર્મચારી કોરોના પોઝિટિવ, કેસનો આંકડો ડબલ થવાના દિવસ ૧૩.૬ થયા…

ન્યુ દિલ્હી : વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના પ્રકોપથી બચવા ભારતમાં આજથી લોકડાઉન-૪નો આરંભ થઇ ગયો છે ત્યારે સત્તાવાર આંકડા અનુસાર, છેલ્લાં ૨૪ કલાક દરમ્યાન દેશમાં કોરોના પોઝીટીવના અત્યારસુધીમાં સૌથી વધુ ૫૨૪૨ કેસો બહાર આવ્યાં હતા અને ૧૫૭ લોકો કોરોનાથી માર્યા ગયા છે. તે સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૯૬,૧૩૭એ પહોંચી છે. અને ૩,૦૩૯ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં આજે સંક્રમિતોનો આંકડો ૩૩ હજારને પાર થયો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા ૧૨૭૩એ પહોંચી છે. તો બીજા નંબરે રહેલા ગુજરાતમાં ૧૧,૩૮૦ લોકો કોરોનાથી સંક્રમિત છે. રવિવારે દેશમાં સૌથી વધારે ૫૦૧૫ સંક્રમિત મળ્યા હતા તો બીજી તરફ ૨૫૩૮ લોકો સારવાર બાદ સાજા પણ થયા હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૨૩૪૭ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રમાં હવે કોરોના દર્દીઓની સંખ્યા ૩૩ હજારને પાર થઈ ગઈ છે.

સૂત્રોએ કહ્યું કે ૨૫ માર્ચના રોજ લાગૂ કરાયેલા પ્રથમ લોકડાઉન બાદ તેમાં સતત વધારો કરીને હવે લોકડાઉન-૪નો આજથી પ્રારંભ થયો છે. જે ૩૧ મે સુધી અમલમાં રહેશે. લોકડાઉન-૪માં કેન્દ્ર સરકારે રાજ્યોને લોકડાઉનમાં છૂટછાટ આપવાની સત્તા આપી છે. લોકડાઉન ૪.૦ વચ્ચે પંજાબ સરકારે ટેક્સી-કેબને મંજૂરી આપી છે. જેમાં માત્ર બે યાત્રિઓ જ બેસી શકશે.
આંધ્રપ્રદેશમાં છેલ્લાં ૨૪ કલાકની અંદર મળ્યા કોરોનાના ૫૨ નવા પૉઝિટીવ કેસ નોંધાયા હતા. રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને થઈ ૨૨૮૨ થઇ છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ૧૯ પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડાની એક મોબાઈલ કંપનીમાં ૬ કર્મચારી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, હાલ આ કંપનીમાં કામ અટકાવી દેવાયું છે.
દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૯૯ કેસ આવ્યા અને ૨૮૩ દર્દી રિકવર થયા છે. એ જ રીતે રાજસ્થાનમાં નવા ૧૪૦ નવા કોરોના પૉઝિટીવ કેસ બહાર આવ્યાં હતા અને ૨ દર્દીના મોત થયા છે અને ૫૩૪૨ થઈ કુલ દર્દીની સંખ્યા. ૨૬૬૬ દર્દી રિકવર થયા છે.
દેશમાં કોરોના વાયરસના કુલ કેસમાંથી સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દેશભરમાં જેટલા પણ કેસ નોંધાયા છે તેમાંથી લગભગ એક તૃત્યાંશ કેસ ફક્ત મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના ૩૩૦૫૩ કેસ નોંધાયા છે જેમાંથી ૧૧૯૮ લોકોએ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.
મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧૧૩૭૯ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૫૮૬ લોકો કાળનો કોળિયો બની ગયા છે. ગુજરાત બાદ તમિલનાડૂમાં ૧૧૨૨૪, દિલ્હીમાં ૧૦૦૫૪, રાજસ્થાનમાં ૫૨૦૨, મધ્યપ્રદેશમાં ૪૯૭૭ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના ૪૨૫૯ કેસ સામે આવ્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૪૭ લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે.
દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રપતિ ભવનમાં તહેનાત એક એસીપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની ઉંમર ૫૮ વર્ષ છે. તે રાષ્ટ્રપતિ ભવનમાં પોલીસ લાઈનમાં રહેતો હતો. ૧૩મેના રોજ એસીપી સહિત પાંચ પોલીસકર્મીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો. ત્યારબાદથી જ તમામ પોલીસકર્મી ક્વૉરન્ટીનમાં હતા.

લોકડાઉન ફેઝ-૪નો દેશમાં સોમવારે પ્રથમ દિવસ હતો. કેન્દ્ર સરકારે લોકડાઉન ૩૧ મે સુધી ભલે લંબાવી દીધું છે પરંતુ કડક પ્રતિબંધો ફક્ત કન્ટેન્ટમેન્ટ ઝોન પુરતી મર્યાદિત કરવામાં આવ્યા છે. તેની અસર પ્રથમ દિવસે દેશના જુદા જુદા ભાગોમાં પણ જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં ફૂટવેર, ઇલેક્ટ્રોનિક્સ અને બેગ-હેલ્મેટની દુકાનો ખુલ્યાનું સામે આવ્યું છે. તે જ સમયે, કર્ણાટકમાં સલૂન ખોલવામાં આવ્યા હતા. આ જ રીતે કેરળમાં દિલ્હી અને કોચીના રસ્તાઓ પર વાહનો જોવા મળ્યા હતા. સરકારના માર્ગદર્શિકા વિરુદ્ધ પંજાબના અમૃતસરમાં મંદિરો ખુલી ગયા. લોકો અહીં પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા.
છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોના વાયરસના કેસ સતત વધતા જઇ રહ્યા છે. સ્થિતિ એ છે કે એક પછી એક રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે. તેના લીધે દેશમાં કોરોના સંક્રમણના કેસનો આંકડો ઝડપથી ૧ લાખની સપાટી તરફ આગળ વધી રહ્યો છે. રવિવારના રોજ અંદાજે ૫૦૦૦ નવા કેસ સામે આવ્યા જે એક દિવસનો સૌથી મોટો રેકોર્ડ બની ગયો. તેની સાથે જ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો ૯૬૦૦૦ની નજીક પહોંચી ગયો છે.. આ જ સ્થિતિ રહી તો આજનો દિવસ ખત્મ થતાની સાથે જ દેશમાં કોરોના સંક્રમણના કેસ ૧ લાખની સપાટીએ પહોંચી જશે અને આ દિવસ દેશ કયારેય ભૂલશે નહીં. રવિવારના રોજ કોરોના વાયરસના ૫૦૦૫ નવા કેસ સામે આવ્યા જે એક દિવસમાં સૌથી વધુ કેસ હોવાનો રેકોર્ડ છે.. છેલ્લાં કેટલાંક દિવસોમાં રેકોર્ડ કેસ સામે આવી રહ્યા છે, જે લોકોને ડરાવી રહ્યો છે
દેશમાં લોકડાઉન, સોશિયલ ડિસ્ટેંસિંગ બધું જ થઇ રહ્યું છે પરંતુ કોરોના વાયરસના કેસ સતત વધતા જઇ રહ્યા છે. તેનું એક મોટું કારણ લોકડાઉન ૩.૦માં આપવામાં આવેલી છૂટછાટ હોઇ શકે છે. તેના અંતર્ગત દેશમાં દુકાનો ખોલવામાં આવી, લોકોને એક ચોક્કસ સમયમાં ઘરોમાંથી નીકળવાની આઝાદી આપવામાં આવી, કારણ કે દુકાનો બંધ હોવાથી ઇકોનોમિક એક્ટિવિટીઝ થોભી ગઇ હતી, આથી લોકોના ભૂખ્યા મરવાની નોબત આવી ગઇ હતી. તો બીજીબાજુ લોકડાઉનની શરૂઆતથી અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂર પોતાના ઘર તરફ પલાયન થઇ રહ્યા છે જેમાંથી ઘણા બધા લોકો સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન પણ કરી રહ્યા નથી..।

Related posts

Vaccine India : ત્રીજી લહેર વચ્ચે દેશમાં માત્ર ૭.૬ ટકા લોકોને જ મળી સંપૂર્ણ રસી

Charotar Sandesh

JP ઉમેદવાર ગંભીર સામે ચૂંટણી પંચે કેસ દાખલ કરવા પોલીસને આપ્યો આદેશ

Charotar Sandesh

પહેલી ઓક્ટોબરથી એસબીઆઇના બેંક ચાર્જિસમાં ફેરફાર થશે…

Charotar Sandesh