Charotar Sandesh
બોલિવૂડ

સત્યમેવ જ્યતે-૨ ઇદના દિવસે ૧૩મેએ રિલિઝ થશે…

જ્હોન અબ્રાહમની ફિલ્મ સલમાન ખાન સામે ટકરાશે…

મુંબઇ : જ્હોન અબ્રાહમની અપકમિંગ ફિલ્મ ’સત્યમેવ જયતે ૨’ની નવી રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ હવે ૧૩ મે એટલે કે ઈદના દિવસે રિલીઝ થશે. પહેલા આ ફિલ્મ ૧૪ મેના રોજ રિલીઝ થવાની હતી. રિલીઝ ડેટની જાહેરાત જ્હોને ફિલ્મના નવા પોસ્ટર સાથએ કરી હતી. આ ફિલ્મમાં તે ડબલ રોલમાં જોવા મળશે.
જ્હોને પોસ્ટર શૅર કરીને કહ્યું હતું, ’’આ ઈદ, સત્ય દૃજ જય લડશે. આ વર્ષએ બંને ભારત માતાના લાલ. ’સત્યમેવ જયતે ૨’ ૧૩ મે એટલે કે ઈદના દિવસે રિલીઝ થશે.’ પોસ્ટરમાં જ્હોન ડબલ રોલમાં જોવા મળે છે. આ ફિલ્મને મિલાપ ઝવેરીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં જ્હોન ઉપરાંત દિવ્યા કુમાર ખોસલા પણ છે. ટી સિરીઝે આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે.
’સત્યમેવ જયતે ૨’ની નવી રિલીઝ ડેટ સામે આવતા એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે જ્હોને સીધી રીતે સલમાન સામે ટક્કર લીધી છે. સલમાનની ફિલ્મ ’રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ઈદ પર રિલીઝ થઈ રહી છે. હવે જોવાનું છે કે બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મ વધારે ચાલશે.

Related posts

અર્જુન સાથે લગ્નને લઈ મલાઈકાએ આપ્યું મોટું નિવેદન

Charotar Sandesh

સલમાન ખાનની ફિલ્મ ’રાધે’નું ફર્સ્ટ સોંગ ’સીટી માર’ થયું રિલીઝ

Charotar Sandesh

‘એક ચુમ્મા તો બનતા હૈ’ : હાઉસફૂલ-૪નું પ્રથમ ગીત રિલીઝ…

Charotar Sandesh