Charotar Sandesh
ઈન્ડિયા

સરકારી કર્મચારીઓ આનંદો : LTCને બદલે રોકડનો વિકલ્પ મળશે…

દશેરા-દિવાળી પૂર્વે મોદી સરકારની કેન્દ્રીય કર્મચારીઓને ભેટ…
* અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા અને ડીમાન્ડ વધારવા સરકારનું પગલુઃ સરકારે એલટીસી કેશ વાઉચર સ્કીમ અને સ્પેશ્યલ ફેસ્ટીવલ એડવાન્સ સ્કીમ જાહેર કરી
* સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ હેઠળ ૧૦ હજાર રુપિયાની વ્યાજમૂક્ત લોન, ૪ વર્ષમાં કર્મચારી એકવાર એલટીસીનો લાભ લઈ શકશે
* આ અંતર્ગત ટ્રેન અથવા વિમાનનું ભાડુ ચુકવવામાં આવશે અને તે કરમુક્ત રહેશે,આ માટે, કર્મચારીનું ભાડુ અને અન્ય ખર્ચ ત્રણ ગણા હોવા જોઈએ
* આ વાઉચરનો ઉપયોગ માત્ર એવી વસ્તુ અથવા સર્વિસ માટે ઉપયોગ કરી શકાશે, જેના પર ૧૨ ટકા અથવા તેનાથી વધારે જીએસટી લાગે છે, કર્મચારીઓના સ્કેલ અને પદના આધારે ટ્રેન કે વિમાન સેવા મળશે
* આ યોજનાનો લાભ જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓને પણ મળશે, દેશના ૧ કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળશે, આ કેશ વાઉચર પેટે રૂ.૫૬૭૫ કરોડની ફાળવણી કરાશે
* કેન્દ્ર રાજ્યોને ૧૨,૦૦૦ કરોડ રૂપિયાની લોન આપશે, આ લોન ૫૦ વર્ષ માટે અપાશે, જે સંપૂર્ણ રીતે વ્યાજમુક્ત રહેશે

ન્યુ દિલ્હી : કોરોના સંકટમાં દેશની ઈકોનોમીમાં નવા પ્રાણ ફૂંકવા અને ડિમાન્ડ વધારવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કેટલીક મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ દેશમાં ડિમાન્ડ વધારવા માટે ત્રણ મુખ્ય પગલાંનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં કેન્દ્રીય કર્મચારીઓના ન્‌ઝ્રથી લઈને એડવાન્સ સ્કિમ સુધી સામેલ છે. સરકાર એલટીસી કેશ વાઉચર્સ અને ફેસ્ટિવલ એડવાન્સ યોજના લઈને આવી છે.
આ કેશ વાઉચર્ચનો ઉપયોગ કેન્દ્રીય કર્મચારીઓ કોઈ પણ સામાન ખરીદી કે સર્વિસ માટે કરી શકે છે. પરંતુ તેણે ન્‌ઝ્રની રકમના ત્રણ ગણા ખર્ચ કરવો પડશે. કર્મચારીને તે જ સામાન ખરીદવા પડશે જેના પર ૧૨ ટકા કે તેનાથી ઉપર જીએસટી લાગતો હશે. સામાન ફક્ત ય્જી્‌ રજિસ્ટર્ડ વેન્ડર્સ પાસેથી જ લેવાનો રહેશે. કર્મચારીએ જ્યાં ખર્ચો કર્યો છે તેના ઈનવોઈસ પણ દેખાડવા પડશે. તો જ બધી છૂટ મળશે. આ ઉપરાંત કેન્દ્રીય કર્મચારીઓને મળનારી ૧૦ દિવસની લીવ ઈનકેશમેન્ટ પણ ખર્ચ કરવી પડશે. આ બધા ખર્ચા તેણે ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં કરવાના રહેશે. આ તમામ ખર્ચા અને ખરીદીનું પેમેન્ટ ડિજિટલ મોડમાં હોવું જોઈએ.
કર્મચારીઓના સ્કેલ અને પદના આધારે ટ્રેન કે વિમાન સેવા મળશે. ભારતમાં ક્યાંય પણ ફરવાની સ્થિતિમાં હોમટાઉન જવા માટે બે વાર એલટીસી લાભ આપવામાં આવશે. આ ઉપરાંત ૧૦ દિવસની રજાની પણ જોગવાઈ છે. આ અંતર્ગત, કેન્દ્રીય કર્મચારીઓને ૪ વર્ષમાં એકવાર એલટીસીનો લાભ આપવામાં આવશે.
અત્રે જણાવવાનું કે કેન્દ્રીય કર્મચારીઓને દર ચાર વર્ષે પોતાની પસંદની એક મુસાફરી અને એકવાર પોતાના હોમટાઉન જવા માટે ન્‌ઝ્ર મળે છે. પરંતુ કોરોના સંકટના કારણે તેઓ આ વખતે જઈ શકે તેમ નથી. તો સરકારે હવે ભાડાને કેશ વાઉચર્ચમાં ફેરવીને કર્મચારીઓને આપશે. જે તેમણે ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં ખર્ચ કરવાનો છે. સરકારને આશા છે કે તેનાથી દેશમાં ખર્ચ વધશે.
આ સ્કીમથી કેન્દ્રીય કર્મચારીઓ પર ૫૬૭૫ કરોડ રૂપિયા મળશે. જો સરકારી કંપનીઓ અને સરકારી બેંકો પણ તેને લાગુ કરશે તો ૧૯૦૦ કરોડ રૂપિયા વધુ મળશે. જો રાજ્ય સરકારો અને પ્રાઈવેટ સેક્ટર્સ પણ કેન્દ્રની આ વાત માનશે તો ૧૯૦૦૦ કરોડ રૂપિયાની ડિમાન્ડ પેદા થશે.
સરકાર ડિમાન્ડ વધારવા માટે તહેવારની સિઝનનો બરાબર ઉપયોગ કરવા માંગે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જ્યારે સાતમું પગાર પંચ આવ્યું હતું ત્યાં સુધી એડવાન્સની જોગવાઈ નહતી. આ માટે એડવાન્સ સ્કિમ ચાલતી હતી. સરકાર એકવાર ફરીથી સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કિમ લઈને આવી છે. આ સ્કિમ દ્વારા દરેક કેન્દ્રીય કર્મચારીને ૧૦,૦૦૦ રૂપિયા એડવાન્સ દેવાની જોગવાઈ કરવામાં આવી છે. જે ઈન્ટરેસ્ટ ફ્રી હશે. જેને ૧૦ હપ્તામાં ચૂકવવાની રહેશે. આ એડવાન્સ રૂપે ડેબિટ કાર્ડમાં પ્રી લોડેડ હશે. તે વન ટાઈમ એડવાન્સ સ્કિમ હશે. જે ફક્ત આ ફેસ્ટિવ સિઝન માટે શરૂ થશે.
એલટીસીના બદલામાં રોકડ ચુકવણી જે ડિજિટલ હશે. તે ૨૦૧૮-૨૧ માટે હશે. આ અંતર્ગત ટ્રેન અથવા વિમાનનું ભાડુ ચુકવવામાં આવશે અને તે કરમુક્ત રહેશે. આ માટે, કર્મચારીનું ભાડુ અને અન્ય ખર્ચ ત્રણ ગણા હોવા જોઈએ. તેવી જ રીતે, માલ અથવા સેવાઓ જીએસટી નોંધાયેલા વિક્રેતા પાસેથી લેવી પડશે અને ચુકવણી ડિજિટલ હોવી જોઈએ, નાણાં પ્રધાને જણાવ્યું હતું કે આનાથી કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓના ખર્ચ દ્વારા માંગ અર્થતંત્રમાં લગભગ ૨૮ હજાર કરોડ રૂપિયાની આવક થશે.
કેન્દ્ર સરકાર રાજ્યોને ૧૨,૦૦૦ કરોડ રૂપિયાની લોન આપશે. આ લોન ૫૦ વર્ષ માટે અપાશે. જે સંપૂર્ણ રીતે વ્યાજમુક્ત રહેશે. રાજ્યોને આ કરજ તેમના પ્રોજેક્ટ પૂરા કરવા માટે અપાશે જેથી કરીને ઈકોનોમીને ગતિ મળી શકે.
આ રકમમાંથી ૧૬૦૦ કરોડ રૂપિયા નોર્થ ઈસ્ટ રાજ્યોને અપાશે. ૯૦૦ કરોડ રૂપિયા ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને મળશે. બાકીના ૭૫૦૦ કરોડ રૂપિયા અન્ય રાજ્યોને મળશે. ૨૦૦૦ કરોડ રૂપિયા તે રાજ્યોને અપાશે જે પહેલા અપાયેલા રિફોર્મ્સને પૂરા કરે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ રકમને નવા કે ચાલુ પ્રોજેક્ટ્‌સ પર ખર્ચ કરવાના રહેશે. આ કરજથી રાજ્ય કોન્ટ્રાક્ટર્સ અને સપ્લાયર્સના બિલની પતાવટ કરી શકે છે. પરંતુ સમગ્ર રકમ ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં ખર્ચ કરવાની રહેશે. આ લોન હાલ રાજ્યોની ઉધાર લેવાની મર્યાદા પર અપાશે. એટલે કે તેમને જેટલી લોન મળે છે તેના ઉપર આ લોન અપાશે.

Related posts

દેશના બે રાજ્યોમાં ૯૦ હજારથી વધુ બાળકો કોરોનાની ઝપટમાં…

Charotar Sandesh

સુનીલ ગાવસ્કર જેટલી સદી તેટલાં બાળકોની હાર્ટસર્જરીનો ખર્ચ ઉઠાવશે

Charotar Sandesh

શાકભાજીવાળા, દુકાનમાં કામ કરતા લોકોથી કોરોનાનો ખતરો વધુ : કેન્દ્ર સરકાર

Charotar Sandesh