Charotar Sandesh
સ્પોર્ટ્સ

હાર્દિક પંડ્યાના પિતાના નિધન પર કોહલીએ દુઃખ વ્યક્ત કર્યું…

મુંબઇ : હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલના પિતા હિમાંશુ પંડ્યાનું નિધન થઈ ગયું છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં વડોદરાની કેપ્ટનશીપ કરી રહેલા કૃણાલ પરિવાર પાસે પહોંચવા માટે ટૂર્નામેન્ટ માટે બનાવેલા બાયો બબલથી બહાર નીકળી ગયો છે. જ્યારે હાર્દિક પંડ્યા આ ટૂર્નામેન્ટ નથી રમી રહ્યો કારણ કે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી સીરિઝની તૈયારીઓમાં છે. હિમાંશુ પંડ્યાની પોતાના દીકરાઓની સફળતામાં મોટી ભૂમિકા હતી. હાર્દિક અને કૃણાલના પિતાના નિધન બાદ સાથી ક્રિકેટરો બંને ભાઈઓને સાંત્વના આપી રહ્યા છે.
એવામાં વિરાટ કોહલી પણ ટ્‌વીટ કરીને બંને પંડ્યા ભાઈઓને સાંત્વના આપી રહ્યો છે. વિરાટ કોહલીએ પોતાના ટ્‌વીટમાં લખ્યું, હાર્દિક અને કૃણાલના પિતાના નિધન વિશે સાંભળીને દીલ તૂટી ગયું, એક-બે વખત તેમની સાથે વાત કરી હતી, તેઓ એક આનંદિત અને જીવનથી ભરેલા વ્યક્તિ હતા. તેમની આત્માને શાંતિ મળે. હાર્દિક અને કૃણાલ પંડ્યા તમે બંને મજબૂત રહો.
વિરાટ કોહલી ઉપરાંત ઈરફાન પઠાણે પણ ટ્‌વીટ કર્યું છે, તેણે લખ્યું છે, ’પહેલીવાર અંકલ સાથે મોતી બાગમાં મુલાકાત થઈ હતી. તેઓ હંમેશા ઈચ્છતા હતા કે તેમના દિકરાઓ સારી ક્રિકેટ રમે. તમારા અને તમારા પરિવારને મારી સહાનુભૂતિ. ભગવાન આ સંકટના સમયમાંથી નીકળવાની શક્તિ આપે.’

Related posts

ટીમ ઈન્ડિયાના ગુજરાતી ક્રિકેટર પાર્થિવ પટેલના પિતાનું થયું નિધન

Charotar Sandesh

ઇન્ડિયા સામે ઓસ્ટ્રેલીયા ટેસ્ટ મેચ : મેદાન વચ્ચે ટકરાયા ઋષભ પંત અને મેથ્યુ વેડ…

Charotar Sandesh

સચિનના નજીકના મિત્ર ગણાતા વિજય શિર્કેનું કોરોનાથી નિધન…

Charotar Sandesh