Charotar Sandesh
બોલિવૂડ

હું પ્રખ્યાત હોવાનો શોખીન નથી, તમે મને ઓળખો છો એટલું જ પૂરતું છે…

મહાનાયક અમિતાભે સોશિયલ મીડિયા પર કહી મોટી વાત…

મુંબઈ : અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક કહેવામાં આવે છે. બોલિવૂડમાં તેમને જે સફળતા મળી, કોઈ બીજા કલાકારને આવી નથી મળી. છેલ્લા ૫૦ વર્ષથી ફિલ્મી પડદે દર્શકોના દિલો પર એક ચક્રી સામ્રાજ્ય જમાવનાર અમિતાભ બચ્ચનના પ્રશંસકો તમને દુનિયાના દરેક ખુણે મળી જશે. જો કે સોશિયલ મીડિયા પર બીગ બીએ જાતે જ એક વાત શેર કરી કહ્યુ છે કે મને મશહૂર હોવાનો કોઇ શોખ નથી. અમિતાભે તેના ટ્‌વીટ પર આ વાત રજૂ કરી હતી. અમિતાભજીએ પ્રશંસકો સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. તેમણે લખ્યું કે, ‘હું પ્રખ્યાત હોવાનો શોખીન નથી, તમે મને ઓળખો છો એટલું જ પૂરતું છે. એચબીઆર આ પંક્તિઓ તેમના પિતા હરિવંશ રાય બચ્ચનની છે. અમિતાભ હંમેશા તેમના પિતાની કવિતાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. આ વખતે પણ તેમણે પિતાની આ કવિતાઓ શેર કરી છે. આ પહેલા પણ અમિતાભ બચ્ચને પિતા હરિવંશ રાયની કેટલીક પંક્તિઓ શેર કરી હતી. તેમણે એક તસવીર શેર કરી અને લખ્યુ હતુ કે મન કા હો તો અચ્છા, મન કા ન હો જ્યાદા અચ્છા, બાબુજી જ્યારે જીવનના એક ખાસ પ્રસંગે આ વાત સમજાવતા હતા ત્યારે મને તેમની વાત સમજમાં આવતી ન હતી. જે મનનું ન હોય તે વધારે સારૂ કેવી રીતે કહેવાય પણ પાછળથી તેમણે જ સમજાવ્યું કે જો તમે જે મનથી વિચાર્યુ હોય તે ન થાય તો ઇશ્વર પર છોડીદો અને વિચારો કે ભગવાન જે કરશે તે સારા માટે જ કરશે. અમિતાભની આ પોસ્ટ મીનિટોમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પ્રશંસકો બચ્ચનની આ સ્ટાઇલના દિવાના છે તેઓ જ્યારે આ રીતે કોઈ વાત સામે લાવે તેમની પાછળ ગહન વિચારો હોય છે. થોડા સમય પહેલા ગુલાબો સિતાબો રિલીઝ થઈ જો કે ફિલ્મને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાએ મહત્વનો રોલ નિભાવ્યો છે.

Related posts

બોલિવૂડ અભિનેત્રી અંકિતા લોખંડે અને વિક્કી જૈનની સંગીતમાં કંગના રનૌત પહોંચી

Charotar Sandesh

’અનુપમા’ ફેમ અલ્પના બુચ અને નિધિ શાહ થયા કોરોના સંક્રમિત…

Charotar Sandesh

‘મેલફિશન્ટ’ની સિક્વલનું ટ્રેલર રિલીઝ

Charotar Sandesh