Charotar Sandesh
સ્પોર્ટ્સ

૧૯ સપ્ટેમ્બરથી ૮ નવેમ્બર વચ્ચે દુબઈમાં આઈપીએલનું આયોજન થશે…

આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ૨જી ઓગસ્ટે મળશે…

મુંબઈ : ઈન્ડિયન પ્રીમિય લિગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ૨જી ઓગસ્ટના રોજ મળશે જેમાં દુબઈમાં સપ્ટેમ્બરમાં આઈપીએલના કાર્યક્રમ તેમજ અન્ય વ્યવસ્થાને લઈને આખરી ઓપ આપવા અંગે ચર્ચા વિચારણા થશે. ચાલુ વર્ષે કોરોના વૈશ્વિક મહામારીને પગલે ભારતમાં આઈપીએલનું આયોજન સંભવ નહીં હોવાથી બીસીસીઆઈએ દુબઈમાં ૫૧ દિવસનો કાર્યક્રમ નક્કી કર્યો છે. ૧૯ સપ્ટેમ્બરથી આઈપીએલનો પ્રારંભ થશે અને ૮ નવેમ્બરના ફાઈનલ મેચ રમાશે. આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલના જણાવ્યા મુજબ ૨જી ઓગસ્ટના રોજ આઈપીએલની ગર્વનિંગ કાઉન્સિલની બેઠક યોજાશે. આ બેઠકમાં આઈપીએલમાં ભાગ લેનાર તમામ ૮ ફ્રેન્ચાઈઝને ટૂર્નામેન્ટના આયોજન અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.
સૂત્રોના મતે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં તમામ ફ્રેન્ચાઈઝને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) સોંપવામાં આવી શકે છે. આ બેઠકમાં બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ સહિતના ટોચના હોદ્દેદારો હાજર રહેશે. બીસીસીઆઈમાં ટોચના હોદ્દા પર ગાંગુલી અને જય શાહનો કાર્યકાળ પૂર્ણ થયો છે પરંતુ લોઢા સમિતિની કુલિંગ ઓફની ભલામણો સામે તેમણે છૂટ આપવા સુપ્રીમમાં અરજી કરી છે. આ અરજી પર ૧૭ ઓગસ્ટના સુનાવણી થશે ત્યાં સુધી તેઓ હોદ્દા પર ચાલુ રહી શકશે.
આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ચાલુ વર્ષે ફ્રેન્ચાઈઝીસ વચ્ચે ઓછી ડબલ હેડર્સ મેચો રમાડવાનો પ્રસ્તાવ પણ થઈ શકે છે જેનાથી પ્રસારકો અને તમામ ભાગીદારોને લાભ થઈ શકે. આ ઉપરાંત ખાલી સ્ટેડિયમમાં મેચ રમાડવાની હોવાથી ફ્રેન્ચાઈઝીસને ગેટ મનીની ખોટના મુદ્દે પણ ચર્ચા વિચારણા થઈ શકે છે. આ ઉપરાંત કોરોના વાયરસના માહોલમાં ખેલાડીઓની સુરક્ષાનો મુદ્દો પણ સૌથી ટોચ પર રહેશે. આ ઉપરાંત આઈપીએલમાં ખેલાડીઓના પરિવારજનોને તેમની સાથે લાવવાની મંજૂરી આપવી કે કેમ તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

Related posts

સૌરવ ગાંગુલીએ બદલી ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી મોહમ્મદ શમીની જિંદગી…

Charotar Sandesh

રાષ્ટ્રીય ટીમમાં પરત ફરતા પહેલા ફિટનેસ ટેસ્ટ આપવી પડશે : રોહિત શર્મા

Charotar Sandesh

ધોની ભારતનો ઓલ ટાઇમ બેસ્ટ કેપ્ટન : સુરેશ રૈના

Charotar Sandesh