Charotar Sandesh
ઈન્ડિયા

૩૧ માર્ચ બાદ સેલ થયેલા BS-૪ વાહનોનું નહી થાય રજિસ્ટ્રેશનઃ સુપ્રિમ કોર્ટ

ન્યુ દિલ્હી : દેશભરમાં ૩૧ માર્ચથી બીએસ-૪ વાહનોનાં વેચાણ પર પ્રતિબંધનાં કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે ફરી સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે બીએસ-૪ વાહનો અંગે મોટો ચુકાદો આપતા તેના અગાઉનાં આદેશને પરત લીધો છે.
કોર્ટે કહ્યું કે, નવા ચુકાદા હેઠળ, ૩૧ માર્ચ પછી વેચાણ થયેલા બીએસ-૪ વાહનની નોંધણી થશે નહીં. બુધવારે સુપ્રીમ કોર્ટે બીએસ-૪ વાહનો વેચવા માટે ઓટોમોબાઈલ ડીલરોને લોકડાઉન સમયગાળા બાદ ૧૦ દિવસનો સમય દેવાનાં પહેલા આદેશને પરત લઇ લીધો છે અને આદેશ આપ્યો કે, ૧૦ દિવસ દરમિયાન વેચાણ થયેલા વાહનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહી.
સુપ્રીમ કોર્ટે ૨૭ માર્ચે વધુ ૧૦ દિવસની મંજૂરી આપી હતી કારણ કે એસોસિએશન ઓફ ડીલર્સે વિનંતી કરી હતી કે તે લોકડાઉન સમયગાળા દરમિયાન વાહનોનું વેચાણ કરી શકશે નહીં, કારણ કે બીએસ-૪ ધોરણો ૧ એપ્રિલથી લાગુ થશે અને છ દિવસનું નુકસાન તશે. જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ કેસમાં કોર્ટનાં આદેશની સાથે “છેતરપિંડી” કરવા બદલ એસોસિએશનને ઠપકો આપ્યો છે.

Related posts

૧૫ દિવસમાં તમામ પ્રવાસી શ્રમિકને તેના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે…

Charotar Sandesh

૧૦ ટકાના જીડીપી ગ્રોથ સાથે મોદી સરકારનું ફૂલગુલાબી બજેટ…

Charotar Sandesh

દુનિયાભરમાં સૌથી વધુ રસીકરણ કરનાર પ્રથમ દેશ બન્યો ભારત…

Charotar Sandesh