બોટાદ SP-DYSP સહિતનો કાફલો સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી
ઘટના લઠ્ઠાકાંડને પગલે મૃતકોના કુટુંબીજનોમાં શોકના માહોલ છવાયો
ભાવનગર : જિલ્લાના બોટાદના બરવાળાના રોજિદ ગામ ખાતે ચકચારી ઘટના સામે આવેલ છે, જેમાં ઝેરી દારૂ પી જવાથી ૮થી વધુ લોકોનાં મૃત્યુ નિપજ્યા છે, તેમજ ૫થી વધુ લોકોની હાલત ગંભીર છે જેઓને સારવારઅર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલે તેમજ ઘણાને બોટાદ ખાતે સારવારઅર્થે ખસેડાયા છે, આ ઘટનાની જાણ થતાં જ બોટાદ SP-DYSP સહિતનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલ લોકોએ નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હોવાનું તપાસમાં બહાર આવેલ છે, ભાવનગર સિવાય કેટલાકને બોટાદની હોસ્પિટલમાં પણ દાખલ કરાયા છે.
બીજી તરફ બોટાદ એસપીની સૂચના મુજબ ડોક્ટર સહિતની ટીમ આઈસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના થઈ હતી, હાલમાં ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
Other News : ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો : આ ૧૬ જિલ્લામાં ભારે વરસાદની આગાહી