Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ખંભાત : બે જૂથો વચ્ચે પથ્થરમારો, સ્થિતિ કાબૂ કરવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા…

અકબરપુરાના જોપડિયામાં વીડિયો ઉતારવા બાબતે બે જૂથો આમને-સામને આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો…

આણંદ : શહેરના અકબરપુરાના જોપડિયામાં વીડિયો ઉતારવા બાબતે બે જૂથો આમને-સામને આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. જેમાં 13થી વધુ લોકો ઘાયલ થયા હતા. પરિસ્થિતિ એ હદે વણસી હતી કે આસપાસના કેટલાક ઘરોમાં હિંસક ટોળાએ આગચંપી પણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર, ભાવસાર વાડમાં એક પરિવારના લગ્ન પ્રસંગમાં આવેલા યુવાનોએ અમારો વીડિયો કેમ ઉતારો છો કહી વિસ્તારમાં તોડફોડ કરી હતી. કારના કાચ ફોડ્યા હતા અને ઘરોમાં આગ ચાંપી હતી. નોંધનીય છેકે આ જ વિસ્તારમાં એક મહિના પહેલા પણ બે જૂથો આમને સામને આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો.

Related posts

આણંદ કલેક્ટરે પોતાના અદના સેવકને પોતાની ખુરશીમાં બેસાડી આપી અનોખી વિદાય…

Charotar Sandesh

ACBની સફળ ટ્રેપમાં સરપંચના પતિ રંગેહાથ ઝડપાયો : તલાટી-સભ્યએ આકરણી માટે ર લાખની લાંચ માંગી હતી

Charotar Sandesh

વડતાલધામ અને CVM યુનિવર્સિટીએ કેનેડાની સેટ કંપની સાથે MOU કર્યા : વૈશ્વિક સંશોધનો થશે

Charotar Sandesh