Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

નડીઆદમાં હોમ કોરેન્ટાઈન કરાયેલ દંપતિ ફરાર થતાં ચકચાર : તપાસ શરૂ કરાઈ…

ઘટનાની જાણ થતાં લોકડાઉન પેટ્રોલીંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં દંપતીના ઘરે તાળું જોવા મળેલ હતું…

નડીઆદ : નડિયાદ-આણંદમાં છેલ્લા ત્રણ દિવસથી પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે.

ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર વોર્ડ નંબર ૧૨માં આવેલ શિવમ ફ્લેટમાં રહેતા કૌશિકભાઈ ચીમનભાઈ મહેતા એમના પત્ની સાથે આણંદથી આવેલ હતા, જેઓને ગતરોજ હોમ કવોરન્ટાઈનમાં રાખવામાં આવેલ હતા. દરમ્યાન તેઓએ ગત રાત્રીનો લાભ લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.

ઘટનાની જાણ થતાં લોકડાઉન પેટ્રોલીંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં દંપતીના ઘરે તાળું જોવા મળેલ હતું, જે બાદ જિલ્લાભરમાં દંપતી ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ છે. નોંધનીય છે કે, આ દંપતિમાં કોરોનાના લક્ષણો હશે, તો શહેરમાં અન્ય જગ્યાએ કોરોના સંક્રમિત થવાનો ભય આરોગ્ય તંત્રને હાલ સતાવી રહ્યો છે.

Related posts

અમૂલ બ્રાન્ડ્‌સનું વાર્ષિક ટર્નઓવર અધધધ રૂ. ૪૫૦૦૦ કરોડે પહોંચ્યું…!!

Charotar Sandesh

ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને ઠગાઇ કરતા મામા-ભાણેજની ધરપકડ…

Charotar Sandesh

એપીએલ-૨૨ : સહજાનંદ ટાઈગર્સને ૫૯ રને હરાવીને ચેમ્પીયન બનતું નારાયણ નાઈટ રાઈડર્સ

Charotar Sandesh