Charotar Sandesh
ઈન્ડિયા

ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતા કોરોના પોઝિટિવ…

ભોપાલ : મધ્યપ્રદેશ ગુનાના સાંસદ અને ભાજપાના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની માતાને કોરોના પોઝીટીવ આવ્યો છે. તેઓને ઈલાજ માટે મૈક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલે તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યાની પુષ્ટિ કરાઈ છે. ભાજપ તરફથી રાજ્યસભા ચૂંટણી માટે નામાંકન ભર્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલથી દિલ્હી આવી ગયા હતા. તે પછી લોકડાઉન દરમિયાન દિલ્હીમાં જ હતા. લોકડાઉનમાં છૂટ મળતા તેઓ ગ્વાલિયર તેમના ક્ષેત્રમાં સમર્થકો તેમના આવવાની રાહ જોઈ રહ્યા હતા.

ભાજપામાં સામેલ થયા પછી જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્વાલિયર આવ્યા નથી. પેટા ચૂંટણીઓની લઈને તૈયારીઓમાં સમર્થકો તેમની રાહ જોઈ રહ્યા હતા. જાણકારી મુજબ તેમનું સ્વાસ્થ્ય બરાબર હતું. પરંતુ ગઈ કાલે અચાનક તબિયત બગડતા તેમને મેક્સ હોસ્પિટલમાં ભરતી કરાયા છે. જ્યાં તેમનો કોરોના પોઝીટીવ આવ્યો છે.

Related posts

સરકાર નક્કી કરે એક વ્યક્તિને કેટલા બાળક હોવા જોઈએ : મોહન ભાગવત

Charotar Sandesh

ભાજપ ૨૦૦થી વધુ બેઠકો જીતીને સોનાર બાંગ્લાનું સપનું સાકાર કરશે : કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

Charotar Sandesh

ઓગસ્ટમાં જિઓમાં જોડાયા ૮૪.૪૫ લાખ ગ્રાહકો, એરટેલે ૫.૬૧ લાખ ગુમાવ્યા…

Charotar Sandesh