આણંદ : અમદાવાદના ધંધૂકામાં ૨૫ તારીખે ધોળા દિવસે બાઈક ઉપર આવેલી બે વ્યક્તિઓએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક ઉપર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યાં છે.
કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તારાપુર પોલીસ પણ સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવ્યો
ત્યારે તારાપુરમાં ગત રોજ હિન્દુ સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં એકત્રીત થઈ મૌન રેલી યોજી તારાપુર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી ઝડપી ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી હતી. તેમજ આજ રોજ તારાપુર બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. જેમાં નગર બંધના આહવાનનો સજ્જડ પ્રતિસાદ જણાયો હતો.
હત્યાના આરોપીઓ અને ષડયંત્રમાં ઝડપાયેલા ઈસ્લામિક કટ્ટરપંથી તત્વો અને હત્યારાઓને કડકમાં કડક સજાની માંગણી કરવામાં આવી હતી.
Other News : ધંધૂકા હત્યા કેસમાં ન્યાય માટે અભિનેત્રી કંગના રનૌત પણ આવી મેદાને : આપી આ પ્રતિક્રિયા જાણો