Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

જાહેરનામા : આણંદ શહેરના કેટલાંક માર્ગો વન-વે કરાયા, રેલ્વે ગોદીથી ગોપાલ ચાર રસ્તા તરફ વન-વે જુઓ વિગત

માર્ગો વન-વે

આણંદ : શહેર તથા વિદ્યાનગર શહેર વિસ્તારમાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા શહેરના કેટલાક રૂટ ઉપર તા. ૩૦/૦૩/૨૦૨૪ સુધી વન-વે ટ્રાફીક ચલાવવા હુકમ ફરમાવેલ છે.

જે અંતર્ગત આણંદ નગર વિસ્તારના રોડ પૈકી આણંદ ગોપાલ ચાર રસ્તાથી રેલ્વે ગોદી ત૨ફ જઈ શકાશે પરંતુ રેલ્વે ગોદીથી ગોપાલ ચાર રસ્તા તરફ કોઈ પણ વાહન વ્યવહાર કરી શકાશે નહી. તેવી જ રીતે જુના બસ સ્ટેશનથી ગોકુલ રેસ્ટોરન્ટ (ડી.વાય.એસ.પી.કચેરી) તરફ વાહનો જઈ શકશે પરંતુ ગોકુલ રેસ્ટોરન્ટ (ડી.વાય.એસ.પી.કચેરી) થી જુના બસ સ્ટેશન તરફ કોઈ પણ વાહન વ્યવહાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ પ્રતિબંધ સરકારી વાહનોએમ્બ્યુલન્સ વાન અને ફાયરબ્રીગેડના વાહનોને લાગુ પડશે નહીં તથા આ હુકમનો ભંગ કરનાર વ્યકિત કાયદાની જોગવાઈ અનુસાર શિક્ષાને પાત્ર થશે.

Other News : આણંદ શહેરના આ કેટલાક સ્થળો ૩૦ માર્ચ સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા : જુઓ વિગત

Related posts

અડાસ સ્થિત શહીદ સ્મારક ખાતે દર વર્ષે ૧૮ ઓગસ્ટના દિવસે શહીદવીરોના માનમાં શહિદ સ્મૃતિ દિનની ઉજવણી કરવામા આવે છે

Charotar Sandesh

વિદ્યાનગર સહિત ૯ નગરપાલિકાઓમાં બનશે આધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ : મહત્વનો નિર્ણય…

Charotar Sandesh

બોરસદ ચોકડીએ નિર્માણાધિન ઓવરબ્રિજની મુલાકાત સાંસદ મિતેષ પટેલે લીધી : જુઓ પ્રોજેક્ટ મેનેજરની શું આપી સુચના ?

Charotar Sandesh