Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ શહેરના આ કેટલાક સ્થળો ૩૦ માર્ચ સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા : જુઓ વિગત

નો પાર્કિંગ ઝોન

આણંદ : જિલ્લામાં ટ્રાફિકની સ૨ળતા અને સુચારૂ ટ્રાફિક આયોજન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.એસ. દેસાઈએ આણંદ શહેરના કેટલાક સ્થળોને તા. ૩૦/૦૩/૨૦૨૪ સુધી નો પાર્કિંગ ઝોન” જાહેર કરવા હુકમ ફરમાવેલ છે.

આ હુકમ અન્વયે રેલ્વે સ્ટેશન જુના દાદરગુજરાતી ચોક આસપાસરેલ્વે ગોદીના ગેટની બહાર રોડ ઉપરનવા બસ સ્ટેન્ડના બન્ને ગેટની બહાર તથા નગરપાલિકા સરકારી દવાખાનાના ગેટની બહારના ૫૦ મીટર વિસ્તારમાં વાહનો પાર્ક કરવા પર તેમજ અમુલ ડેરી ખાતે આવેલ પાર્લરની આગળ અને શાક માર્કેટના ગેટની બહારનાં ૫૦ મીટર વિસ્તારમાં ફોર વ્હીલ વાહન પાર્ક કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ સ્થળોના બદલે ગુરૂદ્વારા સર્કલથી ડી-માર્ટતુલસી ગરનાળા સુધી ફોર વ્હીલ વાહનોમોટી શાક માર્કેટ તરફના રોડ ઉપર નિયત સંખ્યામાં ટુ-વ્હિલરરેલ્વે સ્ટેશનનાં એકઝીટ ગેટ પાસે નિયત સંખ્યામાં રીક્ષાઓનવા બસ સ્ટેશનનાં બન્ને ગેટની સામેના રોડ ઉપર નિયત સંખ્યામાં વાહનોબેઠક મંદિર વાળા રોડના કોર્નરમાં તેમજ નવા બસ સ્ટેન્ડના બીજા ગેટ સામે બગીચાની દિવાલે નિયત સંખ્યામાં રીક્ષાઓ પાર્ક કરી શકાશે. આ ઉપરાંત રેલ્વે ગોદીથી ગામડી વડ સુધીના રોડ તથા શાસ્ત્રી મેદાનથી એન. એસ. પટેલ સર્કલ સુધી એકી-બેકી પાર્કીંગ કરી શકાશે.આ પ્રતિબંધ સ૨કારી વાહનોએમ્બ્યુલન્સ વાન અને ફા૨યબ્રીગેડના વાહનોને લાગુ પડશે નહીં તથા આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ કાયદાની જોગવાઈને આધિન શિક્ષાને પાત્ર થશે.

Other News : આણંદવાસીઓ આનંદો : પાલિકા મહાનગરપાલિકામાં ફેરવાશે, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટમાં મોટી જાહેરાત

Related posts

આણંદ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ : ખંભાતના કાંઠા વિસ્તારના ૧૫ જેટલા ગામના લોકોનું સ્થળાંતર…

Charotar Sandesh

આણંદ ખાતે વિશ્વ નશાબંધી અને ડ્રગ્સ નિષેધ દિન નિમિત્તે યોજાયેલ વેબિનાર…

Charotar Sandesh

બહેનની છેડતી કર્યાની બાબતે ૪ લોકોએ યુવકને મોતને ઘાટ ઉતાર્યો…

Charotar Sandesh