Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આગામી તહેવારોને ધ્યાને લઈ જિલ્લામાં લાગુ કરાયેલ હથિયારબંધી : ઉલ્‍લંઘન કરનાર વ્‍યકિત શિક્ષાને પાત્ર થશે

હથિયારબંધી

આણંદ : આગામી સમયમાં મહોરમ-તાજિયા, રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, પતેતી, જન્માષ્ટમી તથા ગણેશ ચતુર્થી જેવા તહેવારોની જિલ્લામાં ઉજવણી કરવામાં આવનાર હોઇ આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે આણંદના જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી એમ. વાય. દક્ષિણીએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ (૧) થી મળેલ સત્તાની રૂઇએ સમગ્ર આણંદ જિલ્‍લામાં હથિયાર, તલવાર, ભાલા, ધોકા, લાકડી કે લાઠી, સળગતી મશાલ અથવા બીજા હથિયારો કે તેનાથી શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા, કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્‍ફોટક પદાર્થ સાથે રાખી ફરવા મનાઇ ફરમાવવામાં આવી છે.

આ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર વ્‍યકિત શિક્ષાને પાત્ર થશે

મનુષ્‍યો અથવા શબ તેમજ પૂતળા દેખાડવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી બિભત્‍સ સૂત્રો પોકારવા અથવા અશ્લીલ ગીતો ગાવા કે જેનાથી સુરૂચિનો ભંગ થાય તેવું ભાષણ કરવા, તેવા ચિત્રો, પત્રિકાઓ કે પ્‍લેકાર્ડ અથવા બીજા કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા વસ્‍તુ તૈયાર કરવા, બતાવવા અથવા તેનો ફેલાવો કરવા કે દેશ વિરોધી નારાઓ પોકારવા જેવા કૃત્‍યો કરવા ઉપર તા. ૧૫/૮/૨૦૨૨ સુધી મનાઇ ફરમાવવામાં આવી છે.

 જયારે આ જાહેરનામાથી સરકારી નોકરીમાં કામ કરતી કોઇપણ વ્‍યકિત કે જેને તેના ઉપરી અધિકારીએ આવું કોઇપણ હથિયાર લઇ જવાનું ફરમાવ્‍યું હોય અથવા જેની ફરજ હોય કે જેમને જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી, અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી, સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટશ્રી, એકઝીકયુટીવ મેજિસ્‍ટ્રેટશ્રી, જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી કે તેમણે અધિકૃત કરેલ કોઇપણ પોલીસ અધિકારીએ જેને શારીરિક અશકિતને કારણે લાકડી કે લાઠી લઇ જવાની પરવાનગી આપી હોય તેવી વ્‍યકિતઓને મુકિત આપવામાં આવી છે.

Other News : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક પણ મકાન તિરંગો લહેરાવ્યા વગર રહી ન જાય : જુઓ જિલ્લા કલેકટરે શું કરી અપીલ ?

Related posts

આણંદ જિલ્લામાં ચાઈનીઝ માંઝા અને નાણાં ધીરધારના ગોરખધંધાઓ અટકાવવા અંગે લોકોને માહિતી અપાઈ

Charotar Sandesh

આણંદ ખાતે નવ જિલ્લાના ખેડૂતો માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક વર્કશોપ યોજાયો…

Charotar Sandesh

આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય “શ્રી કમલમ” નાવલી ખાતે સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ

Charotar Sandesh