Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાના ખેડૂત મિત્ર જોગ : આ બે દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરાઈ

ખેડૂત મિત્ર

આણંદ : હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૫.૧૧.૨૦૨૩ થી તા. ૨૭.૧૧.૨૦૨૩ દરમિયાન ગુજરાતના જિલ્લાઓમાં  પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને  ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું  અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.

જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે

એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા, આ અંગે વધુ  જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ  અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા આણંદ જિલ્લાના ખેડૂત મિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.

Other News : આણંદ જિલ્લામાં શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત ૪ ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરાશે, માત્ર રૂ. ૫ માં પૌષ્ટિક ભોજન અપાશે

Related posts

બોરીયા ગામમાં ગૌચર સરકારી જમીન બ્લોક નં – ૧૯૦ માં થયેલ બાંધકામ દૂર કરવા ફરિયાદ

Charotar Sandesh

ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ના કેજી વિભાગમાં સમર કેમ્પની શરૂઆત કરાઈ

Charotar Sandesh

ખેડા ટાઉન પોલીસ મથકના કમ્પાઉન્ડમાં રાત્રે ભીષણ આગ લાગતાં આશરે પ૦ જેટલા વાહનો બળીને ખાખ

Charotar Sandesh