આણંદ : શહેર નજીક આવેલ રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ (Hanuman Janmotsav) ની ઉજવણી કરાઈ, મારુતિ યજ્ઞ પણ કરાયું. આ પ્રસંગે સવારે મારુતિ યજ્ઞનો પ્રારંભ થયો જેમાં પ૦થી વધુ દંપતિઓએ પુજા-અર્ચના કરી હવનમાં આહુતિ આપી હતી.
જ્યારે મોડી સાંજે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં હવનમાં નારિયેળ હોમી હવનની પુર્ણાહુતિ કરાઈ હતી. સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તેઓને ખમણ અને બુંદીના પ્રસાદનું વિતરણ કરવાામાં આવ્યું હતું.
Other News : પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ઉમરેઠમાં ભવ્ય એન્યુઅલ ડે ની ઉજવણી કરવામાં આવી