Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ખેડા શંકાસ્પદ મૃત્યુ કેસ : આયુર્વેદિક સિરપ કે બીજું કાંઈ ? પ યુવાનોના મોત મામલે પોલીસે કર્યા ખુલાસા

આયુર્વેદિક સિરપ

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સિરપ મામલે સચેત કર્યા : DGPએ જણાવ્યું કે, આયુર્વેદીક સીરપ જેવું છે જેમાં ૩ વ્યક્તિના મૃત્યુ થયું

બે મૃત્યુ થયા ત્યાં સુધી પોલીસને કોઈ જાણ કરાઈ ન હતી : SP

ખેડા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

ખેડા જિલ્લામાં બિલોદરા અને બગડુ ગામના પ યુવાનોના મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે, આ ઘટના બાદ પોલીસ વિભાગ સહિત આરોગ્ય વિભાગ પણ દોડતું થયું હતું. આ બાબતે ડીજીપીએ નિવેદન આપેલ છે કે, ખેડા પોલીસ રેન્જ IG અને અમદાવાદ ગ્રામ્‌ પોલીસ તપાસ કરી રહી છે, જેમાં Ayurvedic Syrup જેવું પ્રવાહી છે, જેમાં ૩ વ્યક્તિના મૃત્યુ થયેલ, ર લોકોનું મૃત્યુ સીરપના કારણે થયું નથી.

આ બાબતે ખેડા પોલીસે જણાવેલ કે, ખેડા જીલ્લાના નડિયાદ-બીલોદરા ગામે શંકાસ્પદ ત્રણ વ્યક્તિઓના મરણ થવા બાબતે તા.૨૯/૧૧/૨૦૨૩ ના રોજ મીડીયા દ્રારા તથા ખાનગી માણસોથી માહિતી મળેલ કે, નડિયાદ તાલુકાના બીલોદરા ગામ ખાતે ત્રણ ઇસમો આર્યુવેદીક પીણું/સીરપ પીને મરણ ગયેલ છે તે બાબતેની જાણ મરણ જનારના સગા સબંધીઓ કે હોસ્પીટલના ડૉક્ટરો દ્રારા Police Station ખાતે જાણ કરવામાં આવેલ નહિ પરંતુ કેટલાક ઇસમોની તબિયત નાદુરસ્ત થતાં નડિયાદની જુદી જુદી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ થયેલ હોવાની માહિતી ચકાસવા પોલીસની જુદી જુદી ટીમો દ્રારા નડિયાદની હોસ્પીટલોમાં તપાસ હાથ ધરી.

ખેડા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં બનેલ શંકાસ્પદ મૃત્યુના બનાવના ભાગરૂપે બીલોદરા ગામ ખાતે પોતાની કરીયાણાની દુકાનમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના વેપારની સાથે આર્યુવેદીક પીણું/Syrup (૧) નારાયણભાઇ ઉર્ફે કિશોર સાંકળભાઈ સોઢા તથા (૨) ઇશ્વરભાઇ સાંકળભાઇ સોઢા બંને રહે, બીલોદરાવાળાઓ વેચાણ કરતા હોવાની ખાનગી હકીકત માલુમ પડેલ અને આ આર્યુવેદીક પીણું/Syrup યોગેશકુમાર ઉર્ફે યોગી પારૂમલ સીંધી રહે, નડિયાદવાળાએ ઉપરોક્ત બંને ઇસમોને આપેલ હોવાની માહિતી મળતા ઉપરોક્ત ત્રણેય ઇસમોને અત્રેની કચેરી ખાતે પુછપરછ સારૂ લાવવામાં આવેલ છે.

Other News : તીર્થધામ બોચાસણ ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં દેવ દિવાળીના ઉત્સવની ભક્તિસભર ઉજવણી

Related posts

આણંદ જિલ્લામાંથી ૧૧૯૯ પરપ્રાંતીયોને સ્પેશિયલ ટ્રેન મારફતે માદરેવતન મોકલાયા…

Charotar Sandesh

આણંદ : યુવતીએ ધર્મ પરિવર્તન કરી પ્રેમલગ્ન કર્યા : બાદમાં સાસરિયાઓ દ્વારા દહેજની માંગણી કરાતાં પોલીસ ફરિયાદ

Charotar Sandesh

ગળતેશ્વરમાં લક્ઝરી બસ-કાર વચ્ચે અકસ્માત : પાંચ લોકોના મોત

Charotar Sandesh