Charotar Sandesh
ગુજરાત

ફક્ત કાર્યક્રમોમાં હાજરી આપવાથી કઈં નહિ થાય, યોજનાઓ લોકો સુધી પહોંચાડો : પાટીલ

સીઆર પાટીલ
ભાજપ પ્રમુખ પાટીલની પક્ષના કાર્યકરો-આગેવાનોને ટકોર

અમદાવાદ : અમદાવાદની નિકોલ વિધાનસભાના ચોપડા વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આગેવાનોને ટકોર કરી હતી.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાના સંબોધનમાં આગેવાનોને કહ્યું કે, ફકત કાર્યક્રમોમાં હાજરી આપવાથી કઈં નહિ થાય, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડો. પ્રધાનમંત્રી મોદીએ લોકો માટે ૧૨ રૂપિયામાં ૨ લાખની વીમા યોજના શરૂ કરી છે. દરેક કાર્યકર્તા પોતાના જન્મદિવસે ૧૦ લોકોના વીમા ઉતારે અને ભાજપે જાહેર કરેલા વોટ્‌સએપ નંબરથી જરૂરિયાતમંદોને બેંક લોનથી લઈને સરકારની યોજનાઓની વિગતો પહોંચાડે જે લોકોનું જીવન બદલશે.

તેમણે ધારાસભ્ય જગદીશ પંચાલના કાર્યક્રમના આયોજન બદલ પીઠ થાબડી. તો સાથે જ બધા કાર્યકરોને ફોનના માધ્યમથી સરકારની યોજના માટેનો વોટ્‌સએપ નંબર ન પહોંચાડવા બદલ ઠપકો પણ આપ્યો. અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહને આગામી આયોજનો માટે સૂચના આપી અને ઝડપથી કોર્પોરેટરો સાથેની બેઠક બોલાવવા કહ્યું. તેમણે કાર્યકર્તાઓને આગામી દિવસોમાં ફરી વાર લોકો વચ્ચે જવા કહ્યું. અમદાવાદ શહેર સંગઠન બન્યા બાદ ઝડપથી આયોજન થાય તે માટે ટકોર કરી.

સીઆર પાટીલે કહ્યું કે, જનસંઘના ઈતિહાસ સાથેની વિગતોવાળું ટેબલેટ પક્ષના ૧૦ હજાર આગેવાનોને અપાશે. જેનાથી ટેકનોલોજીનો વ્યાપ જમીન સુધી પહોંચે. આખા દેશમાં ક્યાંય ન હોય તેવું ટેકનોસેવી સંગઠન ગુજરાત ભાજપનું હશે.

Other News : વડાપ્રધાન મોદી ૧૬ જુલાઇએ ગુજરાત આવશે : વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ધાટન કરશે

Related posts

ત્રણ-ત્રણ દિનથી ભૂખ હડતાલ પર બેઠેલા વિદ્યાર્થીઓને છોડી વાઇસ ચાન્સેલર દિલ્હી રવાના…!

Charotar Sandesh

થાવાણી સામે પગલાં ભરાશે નહીં તો મહિલાઓ રણચંડી બનશે : કોંગ્રેસની ચિમકી

Charotar Sandesh

કોરોનાનું જોર યથાવત : રાજ્યમાં નવા ૩૬૪ કેસ, ૨૯ દર્દીના મરણ : 24 કલાકમાં ૩૧૬ ડિસ્ચાર્જ…

Charotar Sandesh