ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસો રફ્તાર ગતિએ વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. જેને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫ જાન્યુઆરી સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.
સરકાર સાંજના ૭ વાગ્યા સુધીમાં કોરોનાની નવી ગાઇડલાઈન જાહેર કરે એવી શક્યતા છે
ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જિલ્લા અને શહેરી તંત્રવાહકોને અનુરોધ કર્યો કે, જે વ્યક્તિઓ હોમ આઇસોલેશનમાં રહેલા હોય તેમનું અને તેમાંથી હોસ્પિટલમાં એડમિટ થયા હોય તેમનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવે તે ઇચ્છનીય છે. આ બેઠકમાં કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આગામી સોમવાર ૧૦ જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓમાં આયુષ દ્વારા દરરોજ ૨ હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનું આયોજન થઈ ગયું છે.
Other News : આજે કોર કમિટીની બેઠકમાં નવી ગાઈડલાઈન્સ SOP જાહેર કરશે : આ કડક નિયંત્રણો લાગી શકે છે