Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

સોજીત્રા વિધાનસભા બેઠક ઉપર PM મોદી અને વિદ્યાનગરમાં CM યોગી આદિત્યનાથ પ્રચારાર્થે આવશે

ચુંટણી પ્રચારો

આણંદ : ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ જાહેર થઈ છે, ત્યારથી રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદથી ચુંટણી પ્રચારો પુરજોશમાં ચાલી રહ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાત પ્રવાસે છે અને પ્રચારાર્થે જનસભાઓ યોજી રહ્યા છે.

ત્યારે આગામી ૦૨ ડિસેમ્બરે સોજીત્રા વિધાનસભા બેઠક ઉપર સી.બી.પટેલ, માધ્યમિક ઈંગ્લીશ મિડીયમ સ્કુલ ખાતે બપોરે ૧૨.૩૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધશે.

જ્યારે તા. ૦૩ ડિસેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આણંદ બેઠક ઉપર ભાજપ ઉમેદવાર યોગેશ પટેલ (બાપજી)ના પ્રચારાર્થે આત્મીય વિદ્યાધામ વિદ્યાનગર ખાતે પહોંચશે અને વિજય સંકલ્પ સંમેલનમાં જનસભાને સંબોધશે, જેને લઈ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Other News : આણંદ શહેરના લોટીયા ભાગોળ સહિત આ વિસ્તારોને સંવેદનશીલ મતદાન મથક જાહેર કરવા માંગણી

Related posts

ગુજરાતના આ ૯ જિલ્લામાં એલર્ટ જાહેર, આગામી ૪૮ કલાક ખુબ જ ભારે ! ૨૧ રસ્તાઓ બંધ

Charotar Sandesh

અમૂલની પશુપાલકોને મોટી ભેટ : પ્રતિકિલો ફેટે ૧૦ રૂ.નો વધારો કર્યો…

Charotar Sandesh

ક્રાઈમ : ઉમરેઠમાં તબેલાના સામાન વચ્ચે ગાંજો ઘુસાડી હેરાફેરી કરતાં ત્રણ શખ્સો પકડાયાં

Charotar Sandesh