Charotar Sandesh
ઈન્ડિયા

પનૌતી વાળા નિવેદન મામલે રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, ECIએ ફટકારી નોટિસ

રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગુરુવારે (૨૩ નવેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની પનૌતી મોદી વાળી ટિપ્પણીને લઈને ચૂંટણી પંચ તરફથી આંચકો લાગ્યો હતો. કોંગ્રેસ નેતા Rahul Gandhi ને ગુરુવારે (૨૩ નવેમ્બર) PM Narendra Modi વિરુદ્ધ તેમની પનૌતી મોદી (panoti modi) વાળી ટિપ્પણીને લઈને ચૂંટણી પંચ તરફથી આંચકો લાગ્યો હતો. કમિશને તેમને કારણ બતાવો નોટિસ મોકલી છે અને શનિવારે (૨૫ નવેમ્બર) સાંજે ૬ઃ૦૦ વાગ્યા સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.

બુધવારે (૨૨ નવેમ્બર) ભાજપે પૂર્વ કોંગ્રેસ President Rahul Gandhi વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી અને કાર્યવાહીની માંગ કરી હતી. પક્ષના મહાસચિવ રાધા મોહન દાસ અગ્રવાલ અને અન્ય અધિકારી ઓમ પાઠક સહિત પ્રતિનિધિમંડળમાં સામેલ અન્ય નેતાઓએ રાહુલ ગાંધીના નિવેદનને અપમાનજનક ગણાવ્યું હતું.

Bjp ચૂંટણી પંચમાં આપેલા આવેદનમાં કહ્યું કે, જુઠાણા ફેલાવવા માટે કાર્યરત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને Rahul Gandhની ટિપ્પણીઓ, આ આરોપીઓ સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની અને આ ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરે છે કારણ કે તેમનું વર્તન નૈતિક ધોરણોનું ઉલ્લંઘન કરે છે

Rahul Gandhi એ શું કહ્યું હતું? મંગળવારે (૨૧ નવેમ્બર) રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, PM એટલે પનૌતી મોદી.

Other News : બોરીયાવી નગરપાલિકા દ્વારા ૧૨૦ થી ઓછા માઇક્રોન ધરાવતા પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત

Related posts

દિલ્હીમાં ફરીથી લોકડાઉન કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી…

Charotar Sandesh

કોરોના કેર યથાવત્‌ : ૨૪ કલાકમાં ૧૮૩૩૯ કેસ, ૪૧૮ના મોત…

Charotar Sandesh

આગામી ૫ વર્ષમાં દુનિયાના ટોચના ત્રણ દેશોમાં ભારતની અર્થવ્યવસ્થાનો સમાવેશ થશે : અમિત શાહ

Charotar Sandesh