જૂનાગઢ : રાજ્યમાં ચોમાસું જામવાની સાથે ઘણા શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે નુકશાન થતાં જનજીવનને અસર પહોંચી છે. અત્યાર સુધીમાં ૧ર૦ જેટલા લોકોના મોત નિપજ્યા છે, આ સાથે મુંગા પશુઓના મોતનો આંકડો ચોંકાવનારો છે, જેમાં અત્યાર સુધીમાં ૪ હજાર ૧૧૯ પશુઓના પણ મોત થયા છે, ૧ જૂનથી અત્યાર સુધી સરકારી ચોપડે ૧૦૨ માનવ મૃત્યુ થયાના અહેવાલ જણાઈ આવે છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આફત સર્જાઈ છે, ત્યારે જૂનાગઢ-નવસારીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયેલ છે, હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી કરેલ છે
ભારે વરસાદના કારણે જૂનાગઢ શહેરમાં અનેક લોકો પૂરના પાણી વચ્ચે ફસાયેલ હતા, જેને લઈ અત્યાર સુધીમાં કુલ ૭૩૬ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને લગભગ ૩૫૮ લોકોને બચાવી લેવાયા છે.
Other News : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોન્ચ કર્યું પોર્ટલ, જાણો લોકોને કેવી રીતે મળશે સહારા ઈન્ડિયામાં જમા પૈસા