આણંદ : તા. ૨૧/૦૮/૨૦૨૧ ને શનિવારે વિશ્વ હિંદુ પરિષદ આણંદ જિલ્લામાં રક્ષાબંધનનો કાર્યક્ર્મ યોજાયો હતો.
જે પ્રસંગે દુર્ગા વાહિનીના બહેનો દ્વારા ૧. આણંદ જિલ્લા કલેકટર શ્રી દક્ષિણી સાહેબ, ૨. જિલ્લા પોલીસ વડા શ્રી અજિત રાજીયન સાહેબ, ૩. આણંદ શહેર મામલતદાર સાહેબ શ્રી ઠાકોરસાહેબ, ૪. આણંદ ગ્રામ્ય મામલતદાર સાહેબ શ્રી પરમાર સાહેબ, ૫. ફોજદારી શાખા મામલતદાર સાહેબ શ્રી ચૈતન્ય સાહેબ, ૬. આણંદ શહેર પોલીસ અધિકારી, ૭. એલસીબી પોલીસ અધિકારી, ૮. ગ્રામ્ય પોલીસ અધિકારી શ્રી, ૯. એસઓજી પોલિસ અધિકારીશ્રીને રાખડી બાંધવામાં આવી હતી.
આ શુભપ્રસંગે વિશેષ ઉપસ્થિતિ વિશ્વ હિંદુ પરિષદ આણંદ જિલ્લા અધ્યક્ષ જયેશભાઇ પટેલ, જિલ્લા મંત્રી ઉમેશભાઇ ઠકકર, દુર્ગાવાહિની બેહનો મયુરિકાબેન પટેલ, નયનાબેન પટેલ, સેજલબેન પટેલ, શિલ્પાબેન પટેલ, સહમંત્રી મોહનસિંહ, ધર્માચાર્ય સંપર્ક પ્રમૂખ યોગેશભાઇ, વિશેષ સંપર્ક પ્રમૂખ સોનુંભાઇ, બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ આકાશભાઇ, પ્રવિણભાઇ વિગેરે કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયા હતા.
Other News : આણંદ : તહેવારો નજીક આવતાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં : ૧ર દુકાનોમાં દરોડા