અયોધ્યા : રામ મંદિરના અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. ૨૨ જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા માટે ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરને શણગારવામાં આવી રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ મંદિર પણ કરોડો ભક્તો માટે ખુલ્લું મુકાશે. તે જ સમયે, અયોધ્યામાં રામ મંદિરના દર્શન માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા એક મેગા પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત કરોડો ભક્તોને રામ મંદિરના દર્શન કરવા દેવામાં આવશે.
RSS દ્વારા ૨.૫ કરોડ ભક્તોના દર્શન માટે ૨૪ માર્ચની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે
સંઘને આ તારીખ સુધીમાં અયોધ્યા ધામની મુલાકાત લેવા માટે ઘણા લોકો મળશે. 26-27 Januaryથી દર્શનની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. દેશભરના સંઘના ૪૫ પ્રાંતોમાંથી ભક્તો આવવાના છે. RSS સ્વયંસેવકો તેમના પ્રવાસ, રહેવા અને પૂજાની સંપૂર્ણ વ્યવસ્થા કરશે. અયોધ્યામાં શ્રદ્ધાળુઓને રહેવા માટે ખાસ ટેન્ટ સિટી બનાવવામાં આવી રહી છે.
Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે ૭૦૦૦ થી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. તેમાં Cricketer સચિન તેંડુલકર અને Cricketer વિરાટ કોહલી, અભિનેતા Big B અમિતાભ બચ્ચન અને Business મુકેશ અંબાણી & ગૌતમ અદાણી પણ સામેલ છે.
Other News : રામ મંદિરના ઉદ્ઘાટનમાં અમેરિકા, બ્રિટન અને આફ્રિકા સહિત ૫૩ દેશોના ૧૦૦થી વધુ વિદેશી મહેમાનો હાજરી આપશે