Charotar Sandesh
સ્પોર્ટ્સ

ટીમ ઇન્ડિયા ફાઈનલમાં પરિણામને ફેરવી નાખશે તેવી શશી થરૂરે આશા વ્યકત કરી

શશી થરૂર

મુંબઇ : ટી ૨૦ વર્લ્‌ડ કપની પહેલી અને મહત્વની મેચમાં ભારતનો પાકિસ્તાન સામે કારમો પરાજય થયો છે. દુબઈમાં રમાઈ રહેલી મેચના પરિણામ બાદ હતાશ થયેલા ભારતીયો પોતાનો ગુસ્સો સોશ્યલ મીડિયા પર ઠાલવી રહ્યા છે.

તો બીજી તરફ ભારતના રાજકીય નેતાઓએ વિરાટ સેના માટે પ્રેરણાદાયી અને હકારાત્મક મેસેજ શેર કર્યા છે જેના વખાણ થઈ રહ્યા છે

ક્રિકેટના અઠંગ ચાહક કહેવાતા કોંગ્રેસ લીડર શશી થરૂરે પાકિસ્તાનને અભિનંદન આપ્યા છે પણ એવી આશા પણ વ્યક્ત કરી છે કે ભારત ફાઈનલમાં આ પરિણામને ફેરવી નાખશે. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે મેચ જોવા ઉપસ્થિત રહેલા શશી થરૂરે ‘નિરાશાજનક સાંજ’ની કેટલીક ક્ષણોને ટ્‌વીટર પર શેર કરી હતી.

તેમણે લખ્યું, ‘દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નિરાશાજનક સાંજની કેટલીક આનંદી પળો. ઇન્ટરનેશનલ ક્રિકેટ જોવાની અડધી સદીમાં મેં ભારતને આટલી કારમી રીતે પરાજિત થતાં ક્યારેય નથી જોયું. પાકિસ્તાનને અભિનંદન. આપણે ફાઈનલમાં આ પરિણામને ઉલટાવવું જ પડશે.’

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વિરાટ કોહલી અને ટીમને ‘બાઉન્સ બેક કરીને વર્લ્‌ડ કપ જીતવા’નું કહ્યું હતું.કેજરીવાલે કહ્યું કે, ‘હાર અને જીત એ બધું રમતનો ભાગ છે. તમે બાઉન્સ બેક કરીને વર્લ્‌ડ કપ જીતશો એવું ઈચ્છું છું. અપકમિંગ મેચ માટે ટીમ ઇન્ડિયાને ઓલ ધ બેસ્ટ.’

Other News : ૨૦૩૦ સુધીમાં દેશના ૫૦ ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

Related posts

ભારતીય બેટ્‌સમેન ક્વોરન્ટાઇન સમયને કેવી રીતે કરી રહ્યા છે પસાર શ્રેયસે શેર કરી પોસ્ટ…

Charotar Sandesh

KKR સામેની મેચમાં સ્ટમ્પ પર બેટ મારવું રોહિત શર્માને પડ્યું મોંધુ, મળી આ સજા

Charotar Sandesh

ઈન્ટરનેશનલ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના માતા-પિતા થયા કોરોના સંક્રમિત…

Charotar Sandesh