Charotar Sandesh
ગુજરાત

રાજ્ય સરકારનો મોટો નિર્ણય : જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવાની ઘોષણા, ૭મા પગાર પંચનો લાભ મળશે

સરકાર કર્મચારીઓ

ગાંધીનગર : સરકારી કર્મચારીઓના આંદોલનો-રેલીઓ બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં કુટુંબ પેન્શન યોજના સ્વીકારી લીધી કરી છે અને જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવાની ઘોષણા કરી દીધી છે. જેમાં તમામને ૭મા પગાર પંચનો લાભ મળી રહેશે.

આ સાથે મૃતક કર્મચારીઓના પરિવારને મળતી સહાય ૮ લાખથી વધારીને ૧૪ લાખ કરાઈ છે

આગામી વિધાનસભાની ચુંટણી પહેલા રાજ્ય સરકારે આંદોલન કરી રહેલા સરકારી કર્મચારીઓની કેટલીક માંગો સ્વીકારી લીધી છે.
આ બાબતે માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવેલ કે જૂની પેન્શન યોજનાનો આંશિક અમલ સરકાર કરશે અને ૭મા પગાર પંચના બાકી ભથ્થુ પણ ચુકવીશું.

રાજ્ય સરકારે કુટુંબ પેન્શન યોજનાનો સ્વીકાર કરી લીધો છે, આ યોજના ૧-૪-૨૦૦૫માં નોકરીએ લાગ્યા છે તે કર્મચારીઓ માટે છે, વર્ષ ૨૦૦૫ પહેલા ભરતી થયેલાને જૂની પેન્શન અને ભારત સરકારનો વર્ષ ૨૦૦૯નો કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સરકારે સ્વીકારી લીધો છે.

Other News : અજય દેવગણે આ શહેરમાં શરૂ કરાવ્યું નવું NY મલ્ટિપ્લેક્સ, હવે આણંદ-સુરત સહિતના શહેરમાં ખુલશે, જુઓ તસ્વીરો

Related posts

જન ઉમંગ ઉત્સવ “નમામિ દેવી નર્મદા” મહોત્સવની ઉજવણી : PMના હસ્તે વધામણા…

Charotar Sandesh

મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે : તેમના જન્મ દિવસે વિવિધકાર્યોનું લોકાર્પણ કરશે

Charotar Sandesh

રૂપાણી સરકારના ૫ વર્ષની ઉજવણીનો કાર્યક્રમ જાહેર : ૧ ઓગસ્ટે જ્ઞાનશક્તિ દિવસ ઊજવાશે

Charotar Sandesh