Charotar Sandesh
ઈન્ડિયા

કાશ્મીરમાં આતંકવાદીઓ પાકિસ્તાનના ઈશારાની રાહ જોઈ રહ્યા છે

જમ્મુ કાશ્મીર

પાકિસ્તાની આતંકવાદીઓની નજર હવે કાશ્મીર પર છે

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ગામમાં ઘૂસણખોરી કરનારા વિદેશી આતંકવાદીઓને પનાહ આપવામાં આવે નહીં, આ માટે જમ્મુ કાશ્મીર પોલીસ સતત તેમના પનાહગારોની ઓળખમાં લાગેલી છે. જોકે ખીણમાં કેટલાક લોકો એવા છે જે વિદેશી આતંકવાદીઓને ના માત્ર પનાહ આપે છે પરંતુ તેમના મનસૂબાને સફળ બનાવવામાં પણ સ્થાનિક સ્તરે તેમની મદદ કરે છે. એવામાં સેનાના જવાન એવા લોકોની ઓળખમાં લાગેલા છે. જેથી આ નેટવર્કને ખતમ કરવામાં આવી શકે.

આ વર્ષે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી આતંકવાદીઓને પનાહ આપનારા લગભગ ૫૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય એજન્સીઓ ઘૂસણખોરી અને પાકિસ્તાન તેમજ પીઓકેમાં આતંકી લોન્ચપેડની ઘટનાઓને અફઘાનિસ્તાનમાં થઈ રહેલી ઘટનાઓ સાથે જોડીને જોઈ રહ્યા નથી પરંતુ આને આઈએસઆઈના ગેમ પ્લાન તરીકે જોઈ રહ્યા છે.અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ પાકિસ્તાનની ખાનગી એજન્સી ISIS એક વાર ફરી સક્રિય છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાની આતંકવાદીઓની નજર હવે કાશ્મીર પર છે. જેને લઈને ભારતીય ખાનગી એજન્સીએ એલર્ટ પણ જારી કર્યુ છે.

જમ્મુ કાશ્મીરમાં અત્યારે લગભગ ૨૦૦ આતંકી સક્રિય છે. જેમાં વિદેશી આતંકી પણ સામેલ છે

તેઓ આતંકી હુમલા માટે ISIના ઈશારાની રાહ જોઈ રહ્યા છે. આ એલર્ટ બાદ સરહદના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ અનુસાર અફઘાનિસ્તાન બાદ પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પર નજર રાખી શકે છે. જે માટે આક્રમક રણનીતિ પર પણ કામ કરી શકે છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા પહેલા જ આઈએસઆઈ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ બદ્ર જેવા આતંકી સંગઠનોના આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવાના પ્રયાસ કરી ચૂક્યા છે. છેલ્લા બે મહિનામાં આ પ્રકારની ગતિવિધિઓ સક્રિય હોવાના સતત સંકેત મળ્યા છે. જોકે ભારતીય સેનાએ દરેક મોર્ચે જડબાતોડ જવાબ આપ્યો છે પરંતુ સતર્કતા જાળવી રાખવાની જરૂર છે. આઈએસઆઈના આ નાપાક મનસૂબાને નાકામ કરવા માટે ભારતીય સુરક્ષા દળોએ સુરક્ષા વ્યવસ્થાને વધારી દીધી છે. પાકિસ્તાનથી લાગેલી સરહદ પર સર્વિલાંસ અને જવાનોની સંખ્યા સતત વધારાઈ રહી છે.

Other News : કેરળમાં કોરોના બાદ નિપાહ વાયરસના કારણે હડકંપ મચ્યો

Related posts

પંજાબ નેશનલ બેંક કૌભાંડ : ભાગેડુ મેહુલ ચોકસીને ડોમિનિકાની કોર્ટે જેલમાં ધકેલ્યો…

Charotar Sandesh

ત્રિપુરામાં ૧૬૮ મતદાન મથકો પર ૧૨ મેનાં રોજ ફરી વખત મતદાન થશે

Charotar Sandesh

વિધાનસભા ચૂંટણી : મહારાષ્ટ્રમાં ૫૬, હરિયાણામાં ૬૩ ટકા મતદાન…

Charotar Sandesh