Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડાપ્રધાનના રાજ્યકક્ષાના આવાસ લોકાર્પણ કાર્યક્રમની સાથે આણંદ જિલ્લામાં આ ૧૦૫ આવાસોનું લોકાર્પણ કરાશે

પ્રધાનમંત્રી આવાસ યોજના

આણંદ : PM નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા. ૩૦ મી ના રોજ અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas yojana) ગ્રામિણ હેઠળ નિર્માણ થયેલ આવાસોનો રાજ્યકક્ષાનો લોકાર્પણ / ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. જેની સાથો-સાથ રાજ્યના ૪૦૦૦ થી વધુ ગામોમાં પણ લોકાર્પણ / ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે.

આ લોકાર્પણ / ખાતમુહૂર્ત કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાના ૫૦ ગામોના કુલ ૧૦૫ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો સોંપવામાં આવશે

જેમાં આણંદ તાલુકાના ૮ ગામોના ૨૧, આંકલાવ તાલુકાના ૬ ગામોના ૮, બોરસદ તાલુકાના ૭ ગામોના ૧૪, પેટલાદ તાલુકાના ૭ ગામોના ૨૩, ખંભાત તાલુકાના ૫ ગામોના ૧૧, સોજિત્રા તાલુકાના ૭ ગામોના ૧૧, તારાપુર તાલુકાના ૭ ગામોના ૧૦ અને ઉમરેઠ તાલુકાના ૩ ગામોના ૭ મળી સમગ્ર જિલ્લાના ૫૦ ગામોના કુલ ૧૦૫ આવાસોનું લોકાર્પણ કરવામાં આવનાર છે, તેમ આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીની યાદીમાં જણાવાયુ છે.

Other News : હવામાન વિભાગે કરી આ આગાહી, નવરાત્રી આયોજકો અને ખેલૈયા વરસાદને લઇને ચિંતામાં !

Related posts

નાર ખાતે આવેલ ગોકુલધામ પરિસરમાં થયો ગણેશ ઉત્સવ પ્રારંભ

Charotar Sandesh

બ્રેઇન હેમરેજના ઓપરેશન બાદના ૪૮ કલાક થયા હોવા છતાં મતદાન કરી પ્રેરણારૂપ બનતા રમેશભાઇ શાહ

Charotar Sandesh

વડોદરા : એલર્ટને પગલે રાજ્યમાં રેલવે પોલીસ ફોર્સ દ્વારા મુસાફરોનું ચેકિંગ…

Charotar Sandesh