અમદાવાદ : છેલ્લા અઠવાડિયાથી રાજ્યભરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે આગામી તહેવાર નવરાત્રીમાં વરસાદને લઈ હવામાન વિભાગે વધુ એક આગાહી કરતાં ખૈલેયાઓ સહિત ગરબા આયોજકોમાં ચિંતા વ્યાપી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી તારિખ ૨૬ થી ૨૮ સપ્ટેમ્બર તેમજ ૩ થી ૫ ઓક્ટોબર દરમ્યાન ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે
વધુમાં, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે સતત અમદાવાદ, સુરત, આણંદ, વડોદરા સહિત વિસ્તારોમાં મેઘરાજા બરોબર વરસ્યા છે, જેને લઈ ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત અનુભવી છે. હજી પણ આગામી ૩ દિવસ સુધી અનરાધાર વરસાદની આગાહી કરાઈ છે.
Other News : આણંદમાં દારૂની મહેફિલ ઉપર પોલિસની રેડ : આ ફાર્મ હાઉસમાં વડોદરાના ૧૫ યુવકો અને ૧૦ યુવતીઓ ઝડપાઈ, જુઓ