Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

મતગણતરી દરમ્યાન વલ્લભ વિદ્યાનગર શહેરના આ પાંચ માર્ગો ઉપર વાહનો માટે પ્રવેશબંધી

મતગણતરી

આણંદ : જિલ્લાની સાત વિધાનસભા બેઠકોની ચૂંટણીની મતગણતરી તા. ૦૮ ૧૨ ૨૦૨૨ ગુરુવારના રોજ સવારના ૮.૦૦ કલાકથી નલીની -અરવિંદ એન્ડ ટી.વી. પટેલ આર્ટસ કોલેજ અને બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે હાથ ધરાનાર છે.

જેથી ઉમેદવારોના ટેકેદારો આ વિસ્તારમાં એકઠા થાય અને તેના પરિણામે ટેકેદારો વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના રહે છે અને ઉક્ત સ્થળોની આસપાસ જાહેર રસ્તાઓ પરથી માણસો અને વાહનો પસાર થાય તેના પરિણામે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી નીચે મુજબના રસ્તાઓ બંધ કરવા તથા ટ્રાફીક બીજા રસ્તા તરફ વાળવા (ચૂંટણી માટે ફરજ પર આવેલ તમામ સંલગ્ન ખાતાના સ્ટાફ, ઉમેદવાર અને તેઓના એજન્ટ સિવાય) માટે આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ તા. ૦૮/૧૨/૨૦૨૨ના કલાક 00-00 કલાકથી મતગણતરીનું સંપુર્ણ કામકાજ પુરૂ ન થાય ત્યાં સુધી વલ્લભ વિદ્યાનગર ખાતે નીચેના જાહેર માર્ગો ઉપર જાહેર જનતા તથા જાહેર વાહનો માટે પ્રવેશબંધી ફરમાવી છે.

તદઅનુસાર (૧) વલ્લભ વિદ્યાનગર ખાતે ભાઇકાકા લાયબ્રેરીથી નલીની આટર્સ કોલેજ ચાર રસ્તા સુધી (૨) રઘુવીર ચેમ્બર્સ ચાર રસ્તા ક્રોસીંગ ઉપર યુનિવર્સીટી તરફ જતા રસ્તાના નાકા સુધી (૩) બી.જે.વી.એમ. કોલેજ તથા નલીની આટર્સ કોલેજ પાછળ આવેલ રસ્તો (યુની.રોડ) (૪) કલા કેન્દ્ર ચાર રસ્તા (બાજખેડા ચાર રસ્તા) થી નાના યુનિ. ગેસ્ટ હાઉસ સુધી અને (૫) બી.જે.વી.એમ. કોલેજ તરફ્થી શાસ્ત્રી મેદાન તરફ જતા રસ્તા ઉપર બેડમિન્ટન હોલ અને તેની પાછળનો ઓલ્ડ હોસ્ટેલ તરફ જતો રસ્તો પ્રવેશ માટે બંધ રહેશે.

સરકારી, ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વાહનો તથા ઉમેદવાર અને તેમના એજન્ટના વાહનોને આ આદેશ લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ઈસમ શિક્ષાને પાત્ર થશે.

Other News : કોંગ્રેસના ઉમેદવાર કાંતિ સોઢાના ગામ વાંસખીલીયામાં સૌથી વધુ ૮૩.૪૯ ટકા મતદાન, જાણો રાજકીય પંડિતોનું આંકલન

Related posts

આજે SP યુનિ.નો ૬૫મો પદવીદાન સમારંભ યોજાશે : આ માર્ગો ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

Charotar Sandesh

મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત આણંદ ખાતે મહિલા કાનૂની જાગૃતિ દિવસની ઉજવણી…

Charotar Sandesh

આંકલાવના હઠીપુરાના તલાટી મંત્રી, સરપંચ ૧૫ હજારની લાંચ લેતા ઝડપાયા…

Charotar Sandesh