Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં આપ સભાઓ ગજવશે : ૨ એપ્રિલે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન રોડ શો કરશે

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન

અમદાવાદ : આગામી વિધાનસભાની તૈયારીઓ આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીઓએ શરૂ કરી દીધી છે, ત્યારે આમ આદમી પાર્ટીના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ પંજાબમાં ભવ્ય વિજય બાદ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપ સરકાર સામે વધુ મજબૂતાઈથી લડત લડવા માટે સ્ટ્રેટજી બનાવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાની જીત મેળવવા એડીચોટીનું જોર લગાવશે.

આમ આદમી પાર્ટી દ્વારા નક્કી થયેલા સંભવિત કાર્યક્રમ મુજબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજવાના છે. બંને નેતાઓ ૨ એપ્રિલે સવારે તેઓ ગુજરાત આવશે અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે બેઠક બાદ બપોરે ત્રણ વાગ્યે પૂર્વ વિસ્તારમાં બાપુનગર પોલીસ સ્ટેશન પાસે આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર ચોક થી બાપુનગર ખોડીયાર મંદિર, બાપુનગર ચાર રસ્તા, ડાયમંડ માર્કેટ, ઠક્કરબાપા નગર એપ્રોચ, ટોરેન્ટ પાવર સ્ટેશન, પંચમ મોલ થઈ અને નિકોલ ખોડીયાર મંદિર પાસે રોડ શો પૂરો થશે. બન્ને મુખ્યમંત્રીઓના આ સંભવિત કાર્યક્રમને લઈ આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસ પરમિશન મળી ગયા બાદ આમ આદમી પાર્ટી રોડ શોની ભવ્ય તૈયારીઓ કરશે

ચાર કિલોમીટરના આ રોડ શોમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાવાના છે અને આમ આદમી પાર્ટીનું શક્તિપ્રદર્શન યોજાનાર છે ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસની પણ આમ આદમી પાર્ટીના આ રોડ શો પર નજર રહેશે.પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી ની નજર હવે ડિસેમ્બર ૨૦૨૨માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ૨ એપ્રિલના રોજ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજશે. આમ આદમી પાર્ટી દ્વારા બન્ને નેતાઓના રોડ શોને લઈ પોલીસ પરમિશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ૨ એપ્રિલના રોજ બપોરે ૩ વાગ્યે બાપુનગર પોલીસ સ્ટેશન પાસે ડો. બાબાસાહેબ આંબેડકર ચોકથી નિકોલ ખોડિયાર મંદિર સુધી ૪ કિલોમીટરનો રોડ શો યોજાશે. આ રોડ શોમાં હજારોની સંખ્યામાં આમ આદમીના નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે.

Other News : પ્રાચીન વસ્તુઓનું નિરીક્ષણ બાદ ઓસ્ટ્રેલિયાથી ભારત ૨૯ દુર્લભ મૂર્તિઓ પરત લાવવામાં આવી

Related posts

શું તમે જાણો છો ? ચાલુ વાહનની ચાવી કાઢી ન શકે પોલીસ : સત્તા માત્ર દંડની રસીદ આપવાની છે

Charotar Sandesh

આનંદો : બે વર્ષથી બંધ એવા અંબાજીના ભાદરવી પૂનમના મેળાને મંજૂરી મળી

Charotar Sandesh

રામ મંદિર ભૂમિપૂજનમાં રાજ્યના ૭ સંતો-મહંતો અયોધ્યા જવા રવાના…

Charotar Sandesh