નાગપુર : મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીના ઘરની બહાર આત્મહત્યાની કોશિશ કરવાના આવેલા એક યુવકે હોબાળો મચાવ્યો હતો. શુક્રવારની સાંજે એક યુવકે રોડ તપાસની માગ કરવાની સાથે ઝેર ખાની જીવ આપવાની કોશિશ કરી હતી. જો કે, ઘરની બહાર સુરક્ષા કરી હેલા જવાનોએ તેને સમય રહેતા રોકી લીધો હતો. હાલમાં પોલીસે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી રહ્યા છે.
હકીકતમાં આ મામલો નાગપુર જિલ્લાના રાણા પ્રતાપ નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યુ હતું કે, ગત રોજ એક ઓક્ટોબરની સાંજે નીતિન ગડકરીના ઘરની બહાર એક શખ્સે ઝેરી ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. પણ ત્યાં હાજર જવાનોએ સમય રહેતા તેને રોકી લીધો હતો. આ વ્યક્તિ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મેહકરનો રહેવાસી છે. તેનું નામ વજય મારોતરાવ પવાર છે. તેણે ૨ દિવસ પહેલા એક પત્ર લખીને શેગાંવા-ખામગાંવ પાલકી રોડના ખરાબ નિર્માણને લઈને તપાસની માગ કરી હતી. આ માગ પુરી ન થતાં તેણે નીતિન ગડકરીના ઘરની બહાર આવી ધમકી આપી હતી.
આ મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યુ હતું કે, ધમકી મળ્યા બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ તૈનાત કરી દીધા હતા. તો વળી ગત શુક્રવારે સાંજે ૫ વાગ્યે ગડકરી ઘરે પહોંચ્યા. જ્યાં આવીને તેઓ જુએ છે કે, વિજયે ઝેર ખાવાની કોશિશ કરી, પણ સમય રહેતા પોલીસના જવાનોએ તેને રોકી લીધો. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર હાલમાં તેની હાલત સ્થિર છે. આ મામલામાં પોલીસ અધિકારીઓએ જણાવ્યુ હતું કે, આ શખ્સ વિરુદ્ધ આત્મહત્યાના પ્રયાસ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
Other News : બાળકો માટે પુણેમાં કોવોવૈક્સની ૨/૩ તબક્કાની ટ્રાયલ શરૂ થઇ