Charotar Sandesh
બોલિવૂડ

અર્શદ વારસીએ ‘દુર્ગાવતી’ ફિલ્મ શૂટિંગનાં શ્રી ગણેશ કર્યા…

મુંબઈ : ભૂમિ પેડનેકર સ્ટારર ‘દુર્ગાવતી’ ફિલ્મની સ્ટારકાસ્ટને અર્શદ વારસીએ જોઈન કરી છે. શૂટિંગ માટે અર્શદ ભોપાલ પહોંચ્યો છે. ભૂમિ અને માહી ગિલનું શેડ્યુઅલ પૂરું થઇ ગયું છે. ભોપાલના ઘણા બધા વિસ્તારમાં ૪૦ દિવસ સુધી ફિલ્મનું શૂટિંગ થવાનું છે. અર્શદ આ ફિલ્મમાં વિલનના રોલમાં છે.

ભૂમિની આ ફિલ્મ ‘બાહુબલી’ ફેમ અનુષ્કા શેટ્ટીની ફિલ્મ ‘ભાગમતી’ની રિમેક છે. તે ફિલ્મ ૨૦૧૮માં ૨૬ જાન્યુઆરીના રોજ રિલીઝ થઇ હતી. ‘દુર્ગાવતી’ ફિલ્મને અક્ષય કુમાર અને ‘ટી સિરીઝ’ના ભૂષણ કુમાર સાથે મળીને પ્રેઝન્ટ કરી રહ્યા છે. અશોક ફિલ્મના ડિરેક્ટર છે અને વિક્રમ મલ્હોત્રા પ્રોડ્યૂસર છે.

Related posts

નેહા કક્કરે બેબી બમ્પ સાથેની તસવીર શેર કરી ચોંકાવી દીધા…

Charotar Sandesh

સની લિયોની બની ક્રિકેટર, શેર કર્યો વિડીયો…

Charotar Sandesh

અભિનેત્રી સન્ની લિયોની હવે ફેન્સ સાથે સેલ્ફિ નહિ પડાવે…

Charotar Sandesh