Charotar Sandesh
સ્પોર્ટ્સ

દિલ્હી કેપિટલને ઝટકોઃ ઇશાંત શર્મા ઇજાગ્રસ્ત થતા આઇપીએલમાંથી બહાર…

દુબઇ : પોતાના પ્રથમ ટાઇટલ જીતવાના પ્રયાસમાં લાગેલી દિલ્હી કેપિટલ્સને સોમવારે મોટો ઝટકો લાગ્યો અને તેનો અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ઈજાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. ૩૨ વર્ષીય બોલરે આ સીઝનમાં દિલ્હી તરફથી માત્ર એક મેચ રમી હતી અને અબુધાબીમાં સનરાઇઝર્સ વિરુદ્ધ ૪ ઓવરમાં ૨૬ રન આપ્યા હતા.
દિલ્હી ફ્રેન્ચાઇઝીએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે, ’ફાસ્ટ બોલર ઈશાંત શર્મા દુબઈમાં ૭ ઓક્ટોબરે ટીમના ટ્રેનિંગ સેશનમાં બોલિંગ કરતા ઈજાગ્રસ્ત થયો. તપાસ કરતા જાણવા મળ્યું કે, તેના સ્નાયુઓ ખેંચાઈ ગયા છે અને તે આઈપીએલની બાકી સીઝનમાં રમી શકશે નહીં.’
ઈશાંતે ભારત માટે ૯૭ ટેસ્ટ, ૮૦ વનડે અને ૧૪ ટી૨૦ મુકાબલા રમ્યા છે. તે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ દરમિયાન પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થઈ શકે છે. પરંતુ તેનું સિરીઝ રમવું તે વાત પર નિર્ભર કરશે કે તેને રિહેબિલિટેશનમાં કેટલો સમય લાગે છે.

Related posts

હું નવા ભારતનું પ્રતિનિધિતત્વ કરું છું : કોહલી

Charotar Sandesh

ઈંઝમામને પછાડી સ્મિથે બનાવ્યો સૌથી વધુ અર્ધશતક બનાવવાનો રેકોર્ડ…

Charotar Sandesh

ધોનીએ પૂણેના મજૂરો માટે ૧ લાખ રૃપિયા દાન કર્યા…

Charotar Sandesh