Charotar Sandesh
સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

હાલના સમયમાં થઇ રહેલ કેન્સર અને ગંભીર બિમારીઓનું કારણ શું…?

ભારતના મોટા કલાકાર અને ખેલાડી જે કોઈ ગંભીર બીમારીથી ગ્રસ્ત છે કે ભૂતકાળમાં તેમને આ બીમારી થઈ ચૂકી છે.
આ તે લોકો હતા જેની પાસે પૈસાની કોઇ કમી નથી. ખાવાનું હંમેશા ડાયટીશિયન પ્રમાણે જ ખાય છે. ડોકટર ની સલાહથી ખાય છે. દૂધ પણ એવી ગાય કે ભેંસનું પીવે છે જે એસી માં રહે છે અને બીસ્લેરી નું પાણી પીતી હોય. સમયે રેગ્યુલર શરીરના બધા ટેસ્ટ કરાવે છે. બધાની પાસે હાઇ ક્વોલિફાઈડ ડોકટર છે.

હવે સવાલ ઊઠે છે કે આખરે પોતાના શરીરની આટલી દેખભાળ રાખવા છતાં પણ તેમને આટલી ગંભીર બીમારી અચાનક કેવી રીતે થઈ? કારણકે તે લોકો પ્રાકૃતિક ચીજોનો તેમાં ખૂબ જ ઓછો ઉપયોગ કરે છે, કે માની લ્યો બિલકુલ પણ નથી કરતા. જેમકે આપણે પ્રકૃતિએ દીધેલું છે તે રૂપ તે રૂપમાં ગ્રહણ કરવું તે પણ નુકસાન નહીં આપે. કેટલી પણ ફ્રુટી પીલો શરીરને કેરી જેવો ગુણ નથી આપી શકતી. જો આપણે આ ધરતીને પ્રદુષિત ના કરીએ તો ધરતી માંથી નીકળેલ પાણી, બંધ બોટલનાં પાણી કરતાં લાખ ગુણવાળું હોય છે.

તમે બાળકને જન્મથી એવા સ્થાન પર રાખો જ્યાં એક પણ કીટાણું ના હોય તે મોટા થવાના પછી તેને સામાન્ય જગ્યા પર રહેવા માટે છોડી દો તો બાળક એક સામાન્ય તાવ પણ નહીં સહન કરી શકે. કારણકે તેના શરીરના તંત્રિકા તંત્ર કીટાણુઓથી લડવા માટે વિકસિત જ ન થયા હોય.

કંપનીએ લોકોને ડરાવી રાખ્યા છે. એક દિવસ સાબુથી નહીં આવતો તમને કીટાણુ ઘેરી લેશે અને સાંજ સુધી તમે મરી જશો. સમજમાં નથી આવતું કે આપણે ક્યાં જીવી રહ્યા છીએ. એકબીજાની સાથે મળીને કે પછી લોકો સેનિટાઈઝર લગાવતા જોયા છે. લોકો વિચારી રહ્યા છે કે પૈસાના દમ પર આપણે જિંદગી જીવી લેશુ.

ક્યારેય વિચાર કર્યો છે કે પિઝા બર્ગર વાળા શહેરના લોકોને એક સામાન્ય તાવ આવી જાય છે તો પણ તેઓની ધરતી હલી જાય છે. વળી દૂધ, દહીં, છાશ ના શોખીન ગામના વૃધ્ધ લોકોનો તાવ પણ દવા જ ઠીક થઈ જાય છે. કારણ કે તેની ડોક્ટર પ્રકૃતિ છે કારણકે તેઓ પહેલાથી જ સાદુ ખાવાનું ખાતા હોય છે. પ્રાકૃતિક ચીજોને અપનાવો. વિજ્ઞાનના દ્વારા લેબમાં તૈયાર કરેલી દરેક વસ્તુ શરીર માટે નુકશાનદાયક છે. પૈસાથી ક્યારેય પણ સ્વસ્થતા અને ખુશીઓ નહીં મળે.

(જી.એન.એસ.)

Related posts

રામબાણ ઈલાજ : કાળા જાંબૂના બીથી દૂર થશે ડાયાબિટીસ સહિતની આ બીમારીઓ…

Charotar Sandesh

કોવિડ-19 સંક્રમણ દરમિયાન તમને બીમારીથી આ રીતે બચાવશે તાંબાના વાસણ…

Charotar Sandesh

કોવિડ 19- શું તમે જાણો છો કે દેશના લોકો સૌથી ઓછા હાથ ધુએ છે – 20 સેકંડ સુધી સાબુથી હાથ શા માટે ધોવું જોઈએ…

Charotar Sandesh