Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ અને તારાપુર તાલુકાનાં કોરોના સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયો…

આણંદ : હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ આમુખ-(ર)ની વિગતે જાહેરનામાંથી સુચના બહાર પાડવામાં આવેલ છે. તે મુજબ પી.ઓ.એલ./૧/જાહેરનામા/એસ.આર./૧૦૩/૨૦૨૦ તા.૦૪-૧૧-૨૦૨૦ હેઠળ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલા રૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ, શ્રી આર.જી. ગોહિલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ની કલમ-૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની
કલમ-ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ -૩૦ તથા ૩૪ હેઠળ લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

તદ્દનુસાર આણંદ તાલુકા અંતર્ગત આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ સંકલ્પ સીવીલ કોર્ટ આણંદના કુલ-૧ મકાનનો વિસ્તાર, સર્વોદય સોસાયટીના કુલ-૧ મકાનનો વિસ્તાર, સરદાર ગંજના કુલ-૧ મકાનનો વિસ્તાર, નહેરૂબાગ ઈન્દિરાનગરીના કુલ-૧૨ મકાનનો વિસ્તાર, નહેરૂબાગ ઉર્મિનગરના કુલ-૧૭ મકાનનો વિસ્તાર, નહેરૂબાગ બાલકૃષ્ણ સોસાયટીના કુલ-૭ મકાનનો વિસ્તાર, નહેરૂબાગ નિસીત સોસાયટીના કુલ-૬ મકાનનો વિસ્તાર, કરમસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ સહજાનંદ સ્ટેટસના કુલ-૧ મકાનનો વિસ્તાર, જોળ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ સુર્યદિપ સોસાયટીના કુલ-૧ મકાનનો વિસ્તાર,

તારાપુર તાલુકા અંતર્ગત મોરજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ શક્તિનગરના કુલ-૯ મકાનનો વિસ્તાર, જીચકા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ પટેલ ફળીયુંના કુલ-૧૦ મકાનના વિસ્તારને Covid -19ના Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવે છે.

આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે. આ હુકમ તા.૦૪/૧૧/૨૦૨૦થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેર નામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ આઈ.પી.સીની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.

Related posts

ઉમરેઠમાં રૂ. દોઢ કરોડના ખર્ચે સરકારી vvip રેસ્ટહાઉસનું નિર્માણ થશે…

Charotar Sandesh

સી ડી એસ સંસ્થા દ્વારા ગંગા ડેરી ફાર્મ ખાતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો…

Charotar Sandesh

શ્રી કચ્છ વાગડ જૈન યુવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક પક્ષીઓના કુંડા વિતરણ કરવામાં આવ્યું

Charotar Sandesh