Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ : વલ્લભ વિદ્યાનગર ઈસ્કોન મંદિર ખાતે સ્નાનયાત્રા મહોત્સવ યોજવામાં આવ્યો…

ઈસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે…

આણંદ : વર્ષોની પરંપરાને જાળવી રાખતા વલ્લભ વિદ્યાનગર ઈસ્કોન મંદિર દ્વારા સ્નાનયાત્રા મહોત્સવ યોજાયો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી નીરવ અમીન, વિદ્યાનગર નગરપાલિકા પ્રમુખ પ્રકાશભાઈ માંછી, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, આણંદ પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ છાયાબેન ઝાલા, કારોબારી ચેરમેન સચિનભાઈ પટેલ, આણંદ શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, શહેર મહામંત્રી સ્વપ્નીલભાઈ પટેલ, ઉપપ્રમુખ હિરેન પટેલ, વિદ્યાનગર શહેર ભાજપ પ્રમુખ મિતેશ પટેલ અને નગરજનો ઉપસ્થિત્‌ રહ્યા હતા.

વિદ્યાનગર ઈસ્કોન મંદિર દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે કોરોનાની મહામારીના પગલે ગત વર્ષે રથયાત્રા સાદગીપુર્ણ રીતે કરાઈ હતી. જોકે આ વખતે ઈસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર વખતે બેઠક મંદિરથી રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ આ વખતે રુટમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશન નજીકથી રથયાત્રાનો પ્રારંભ સંતોના હસ્તે કરવામાં આવશે ત્યાંથી નીકળી અમુલ ડેરી રોડ થઈ ડૉ. કુરીયન માર્ગ થઈ લોટીયા ભાગોળ થઈ ટાઉન હોલ રોડ થઈ ભાઈકાકા સ્ટેચ્યુથી ઈસ્કોન મંદિરે પહોંચશે. જ્યાં મહાપુજા પણ કરવામાં આવશે.

Related posts

સોજીત્રાના ડાલી ગામ પાસે ત્રિપલ અકસ્માતમાં ૬ના મોત : ધારાસભ્યના જમાઈ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો

Charotar Sandesh

ગેરકાયદે દબાણો દૂર કરો – સાંસદ મિતેષભાઈ પટેલે બીજી વખત કર્યો અનુરોધ : દબાણો દૂર થશે કે કેમ ચર્ચાનો વિષય

Charotar Sandesh

આણંદ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી : જિલ્લા કલેક્ટર મિલિંદ બાપનાએ તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યુ

Charotar Sandesh