Charotar Sandesh
ગુજરાત

કોરોના સંક્રમણ ઘટતા સોમવારથી ખાનગી અને સરકારી ઓફિસો ૧૦૦ ટકા સ્ટાફ સાથે કામ કરશે…

કોરોના સંક્રમણ ઘટતા સરકારે લીધો મોટો નિર્ણય…

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર નબળી પડી છે અને કેસોમાં તીવ્રતાથી ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારનાં કામકાજમાં પણ વેગ આવે અને અટકી પડેલી ફાઈલોનો ફાસ્ટ્રેક મોડમાં નિકાલ કરવાના આદેશો કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય સચિવે ગાંધીનગર સચિવાલયના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને તાજેતરમાં જ આદેશ કર્યો હતો કે કોરોનાના કેસ ઓછા થઈ ગયા છે, જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે, સરકાર પણ વિકાસ અને પ્રજાલક્ષી કામોના નિર્ણયોમાં આગળ વધી રહી છે, ત્યારે તમામ વિભાગોના અધિકારીઓ ઓફિસમાં બેસીને પેન્ડિંગ કામોનો નિકાલ કરે.
રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર ૫ જૂન ના રોજ કાર્યરત એટલે કે ખુલ્લી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે ૭ મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો ૧૦૦ ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.
મુખ્ય સચિવે એવો પણ આદેશ કર્યો છે કે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નીતિવિષયક નિર્ણયો હેઠળ જો કોઇ સમસ્યા હોય અથવા તો પ્રશ્ન હોય તો એનો નિકાલ કરીને આગળ વધો. રાજ્યના તમામ અધિકારીઓએ પેન્ડિંગ ફાઇલોનો નિકાલ કરવાનો સમય આવી ગયો છે. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ વય નિવૃત્ત થયા બાદ તેમને પ્રથમ છ મહિના અને બીજા છ મહિના સુધીનું એક્સટેન્શન આપેલું છે. મુકિમ ઓગસ્ટ ૨૦૨૧માં નિવૃત્ત થવાના છે. એ પહેલાં તેમણે વિભાગોના ઉચ્ચ અધિકારીઓને આદેશ આપીને કહ્યું હતું કે વિભાગની પડતર ફાઇલોનો ઝડપથી નિકાલ કરવો જોઇએ, જેથી અરજદારોને ઝડપી ન્યાય મળી શકે.
સાબરમતી પર ૩૫ કિમી લાંબો રિવરફ્રન્ટ
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ દેશ અને દુનિયાના લોકો માટે જોવાલાયક સ્થળ બન્યો છે, ત્યારે હવે એનો બીજો તબક્કો પણ એટલો જ ઉત્કૃષ્ટ, પર્યાવરણપ્રિય બનશે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રોજેકટની વિશેષતા એ છે કે સમગ્ર અમદાવાદ શહેરની મધ્યમાંથી ૩૫ કિ.મી. લાંબો આ રિવરફ્રન્ટ નગરની શોભા બન્યો છે. વિજય રૂપાણીએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના આ ફેઝ-રના પ્રથમ તબક્કા માટે ૧ લાખ ૩૦ હજાર ચોરસમીટર જમીન અમદાવાદમાં આર્મી-ડિફેન્સ કેન્ટોન્મેન્ટ બોર્ડે આપી છે, એ માટે ભારત સરકાર, રક્ષામંત્રાલય, સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને અમદાવાદના આર્મી કેન્ટોન્મેન્ટ બોર્ડનો આભાર વ્યકત કર્યો હતો.
વિકાસનાં કામો માટે ૧૫૭૭૪ કરોડ રૂપિયાની ફાળવણી
મુખ્યમંત્રી રૂપાણીએ સમગ્ર ગુજરાતનાં શહેરો-નગરોને પ્રાણવાન તેમજ આધુનિક સુવિધા સાથે માળખાકીય પાયાની સવલતોથી સજ્જ કરવા સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી છેલ્લાં ચાર વર્ષમાં એટલે કે ૨૦૧૬-૧૭થી ડિસેમ્બર-૨૦૨૦ સુધીમાં રૂ. ૧૫ હજાર ૭૮૩.૭૩ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

Related posts

ગુજરાતના આ ગામમાં છેલ્લા કેટલાય દિવસથી સતત ભૂકંપના આંચકા અનુભવાતા કલેક્ટર-ધારાસભ્ય ઘટનાસ્થળે

Charotar Sandesh

નિશુલ્ક રસીકરણ કોરોના સામેની લડાઈમાં ઐતિહાસિક નિર્ણય : ગૃહમંત્રી અમિત શાહ

Charotar Sandesh

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વરરાજાને જ થયો કોરોના, લગ્ન પ્રસંગ અટવાયો…

Charotar Sandesh