મુંબઇ : સુશાંત કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા પછી મંગળવારે કોર્ટે રિયાને ૧૪ દિવસ સુધી જેલમાં મોકલી છે. કાનૂની કાર્યવાહીમાં મોડું થવાના કારણે રિયાને મંગળવારે રાત્રે એનસીબી ઓફિસના લોકઅપમાં જ રાખવામાં આવી હતી. સૂર્યાસ્ત પછી જેલમાં કેદીને નથી લઈ જવામાં આવતો. રિયાની રાત એનસીબી લોકઅપમાં જ નીકળી હતી. રિયાની જમાનતની અરજી કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી છે. રિયાને હવે ભાયખલા જેલમાં શિફ્ટ કરવામાં આવી છે.
રિયા ચક્રવર્તી એનસીબી ઓકઅપમાં રાત્રી નીકળ્યા પછી સવારે તેને ભાયખલા જેલમાં મોકલવામાં આવી છે. તેમની લીગલ ટીમ જલદીથી જમાનત માટે સેશન કોર્ટમાં જશે.
મળતી માહિતી મુજબ રિયા ચક્રવર્તીએ અધિકારીઓ સામે પોતાની જમાનત અરજીમાં કહ્યું છે કે ૮૦ ટકા બોલિવૂડ કલાકારો ડ્રગનું સેવન કરે છે.
રિયાને જેલ થયા પછી એનસીબી મુંબઈના ઝોનલ હેડ વાનખેડેએ મીડિયા સાથે વાત કરી હતી. તેણે માત્ર બે લાઈનમાં જ જવાબ આપ્યો હતો.