Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નડિયાદમાં કોરોનાને કેર વધતા રેપિડ ટેસ્ટ માટે લોકોની લાંબી લાઇનો લાગી…

નડિયાદ : ખેડા જિલ્લામાં સતત વધી રહેલ કોરોનાનું સંક્રમણ વહીવટી તંત્ર માટે પડકાર જનક બની રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ખેડા જિલ્લામાં ૨૯ પોઝિટિવ કેસ નોંધાયા. વળી શિયાળામાં કફ શરદી અને ખાંસીની ફરિયાદો વધતા પ્રજાજનોમાં પણ ભયનું વાતાવરણ નિર્માણ થયેલ છે. જનતા હોસ્પિટલમાં જતા ડરી રહી છે. બીજી તરફ નડિયાદ અને આસપાસના ગામોના કોરોનાનો કહેર વિસ્તરી રહ્યો છે.
મહત્વનું છેકે, કોરોનાને પ્રથમ પગલે જ પકડી તેની સારવાર કરવામાં આવે તો દર્દીઓને ઘણી રાહત મળી રહે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નડિયાદમાં સંતરામ મંદિર બહાર ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવમાં આવ્યું છે. અહીં એન્ટિજન રેપીડ ટેસ્ટ કરાવવા લોકો એ લાઈનો લગાવી દીધી છે. જનતાની જાગરૂકતા અને તંત્રની મહેનત કોરોના ને કેટલો બેઅસર કરે છે તે જોવું રહ્યું.

Related posts

૧૮મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અડાસ રેલ્વે સ્ટેશને સર્જાયેલો શહાદતનો ઈતિહાસ…!!

Charotar Sandesh

આણંદ અને તારાપુર તાલુકાનાં કોરોના સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરાયો…

Charotar Sandesh

ખેડા જિલ્લામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનસભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા

Charotar Sandesh