Charotar Sandesh
ગુજરાત

રાજ્યસભા ચૂંટણી બાદ ભાજપ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ…

વિરૂ કેબિનેટ મંત્રી મંડળમાં પણ ફેરફાર થવાની સંભાવના…

ગાંધીનગર : રાજ્યસભાની આવનારી ચૂંટણી બાદના દિવસોમાં ભાજપ સંગઠનને લઇને મહત્વના સમાચાર આવી રહ્યા છે. જૂનના અંતમાં ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થવાની પ્રબળ શક્યતા છે. જૂનના અંતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ બદલાય તેવી પ્રબળ સંભાવના વ્યકત કરાઇ રહી છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ લેઉવા પાટીદાર સમાજમાંથી હોય તેવી શક્યતા છે. સંગઠનમા ફેરફાર બાદ કેબિનેટ મંત્રી મંડળમાં પણ ફેરફાર થશે. જેમાં કેબિનેટ મંત્રી મંડળમાં બે નવા પ્રધાનો ઉમેરાશે. જીતુ વાઘાણી અને શશીકાંત પંડયાને મંત્રી મંડળમાં મળી શકે છે. શશીકાંત પંડ્યાને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળે તેવી સંભાવના.
જ્યારે કે જીતુ વાઘણાને કેબિનેટ પ્રધાન બનાવાય તેવી શક્યતા છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પોતાના ધારાસભ્યો બચાવવામાં વ્યસ્ત છે. ગુજરાતમાં રાજ્યસભાની ૧૯ જૂને યોજાનારી ચાર બેઠકોની ચૂંટણીને ગણતરીના દિવસ જ બાકી છે. ત્યારે અલગ અગલ જગ્યાએ રોકાયેલા કોંગ્રેસના ધારાસભ્યોને અમદાવાદ લવાઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ તેના તમામ ધારાસભ્યોને અમદાવાદમાં હોટલ ઉમેદમાં લાવી રહી છે. અશ્વિન કોટવાલ, લાખાભાઈ ભરવાડ, અનિલ જોશીયારા, જશુભાઈ પટેલ, ચંદનજી ઠાકોર, કિરીટ પટેલ સહિતના ધારાસભ્યો હોટલ ઉમેદમાં રોકાયા છે. સિદ્ધાર્થ પટેલ અને નરેશ રાવલ પણ અમદાવાદ પહોંચ્યા હતા.
સૌરાષ્ટ્રના ધારાસભ્યો મોડી સાંજે અમદાવાદ પહોંચ્યા હતા. જેમાં અર્જુન મોઢવાડીયા, લલિત કગથરા, લલિત વસોયા અને હાર્દિક પટેલ સહિતના લોકો હોટેલ ઉમેદ પહોંચ્યા હતા. તો આજે પ્રભારી રાજીવ સાતવ પણ અમદાવાદ આવશે. તો સાથે બી.કે.હરિપ્રસાદ અને રજનીતાઈ પાટીલ પણ અમદાવાદ આવશે અને તેઓ ધારાસભ્યો સાથે ચર્ચા કરશે. કોંગ્રેસે હોટલ ઉમેદના તમામ રૂમ બુક કરાવ્યા છે. કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કેવી રીત કરવું તેની સમજ આપશે અને વ્હીપ આપશે.

Related posts

રાજ્યમાં કુલ ૮૩ ટકા વરસાદ,૧ વર્ષ સુધી પીવા-સિંચાઇના પાણીની સમસ્યામાંથી મુક્ત…

Charotar Sandesh

દાહોદ વિસ્તારમાં માવઠાથી ખેડૂતોમાં ચિંતા : કરા પડતા આશ્ચર્ય…

Charotar Sandesh

નવી ગાઈડલાઈન : રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ર૭ શહેરોમાં આ તારીખ સુધી રાત્રિ કર્ફ્યુ યથાવત

Charotar Sandesh