સુરત : સુરતના લોકો દિવાળીના વેકેશનમાં વિવિધ રાજ્યોમાં ફરીને પરત આવે ત્યારે તેઓએ કોરોના ટેસ્ટ, RTPCR ફરજિયાત કરવાનો રહેશે એવું જાહેર કરાયું છે. જેને પગલે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જૂનાગઢ જેવા શહેરોના મ્યુનિસિપલ કમિશનરો પણ વિચારતા થઈ ગયા છે.
એટલુંરૂ જ નહીં, અન્ય બાબુઓ પણ ચર્ચા કરી રહ્યાં છે કે, વાસ્તવમાં તો આ નીતિવિષયક નિર્ણય છે. જેથી સમગ્ર રાજ્યના લોકો માટે આ પ્રકારનો નિર્ણય લેવાનો હોય અને આવો નિર્ણય સરકાર સ્તરેથી જ લેવાનો થાય છે. સચિવાલયમાં હાલમાં એક જ ચર્ચા થઈ રહી છે કે, આ નિર્ણય લીધો કોણે ?
બીજી બાજુ સરકારના આરોગ્ય વિભાગના ટોચના અધિકારીઓએ તમામ લોકો માટે આ પ્રકારનો નિર્ણય લેવા માટેની વિચારણા કરવા બેઠકનો ધમધમાટ શરૃ કર્યો છે. જો કે હજુ સુધી આ સંદર્ભમાં કોઈ જ સત્તાવાર જાહેરાત થઈ નથી. હવે જોવાનું એ રહે છે કે, આવો નિર્ણય રાજ્યના તમામ આઠ મહાનગરો માટે લેવાય છે કે નહીં.
Other News : આણંદ : NRIના પ્રશ્નોનો ડીઝીટલ માધ્યમથી ઉકેલ આવે તે માટેની એપ્લીકેશન લોન્ચ કરાઈ